Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

નવલનગરમાં હરેશભાઇ ગોગરાનો ગળાફાંસો ખાઇ આપઘાત

માતા-પિતા અને પત્નિ ગામડે હતા : કારણ જાણવા તપાસ

રાજકોટ તા. ૭ : મવડી રોડ નવલનગરમાં રહેતા યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. મળતી વિગત મુજબ નવલનગર શેરી નં. ૩ના છેડે રહેતા હરેશભાઇ બાબુભાઇ ગોગરા (ઉ.૩૫)એ પોતાના ઘરે છતના હુકમાં દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. સંબંધીએ હરેશભાઇને ફોન કરતા તેણે ફોન ન ઉઠાવતા સંબંધીએ ઘરે જઇને જોતા હરેશભાઇ લટકતી હાલતમાં જોવા મળતા તાકિદે ૧૦૮માં જાણ કરી હતી. જાણ થતાં ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજ્યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં માલવીયાનગર પોલીસ મથકના પી.એસ.આઇ. બી.બી.રાણા તથા રાઇટર પ્રશાંતસિંહે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતક હરેશભાઇ મજૂરી કામ કરતા હતા. તેના માતા-પિતા અને પત્નિ તથા બાળકો મોરબી નજીક પોતાના ગામ ગયા હતા અને હરેશભાઇ ઘરે એકલા હતા તેણે કયાં કારણોસર આ પગલુ ભર્યું તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:09 pm IST)