Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

ખંઢેરી રાજકોટ વચ્ચે માલગાડીની ઠોકરે અજાણ્યા યુવાનનું મોત

વાલીવારસ હોય તો રેલ્વે પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૬: ખંઢેરી અને રાજકોટ વચ્ચે રાત્રીના એક યુવાન માલગાડીને ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. આશરે ૨૮ વર્ષના આ યુવાનને તબિબે મૃત જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે રેલ્વે પોલીસને જાણ કરતાં રેલ્વે પોલીસના શકિતસિંહ ઝાલાએ તપાસ હાથ ધરી છે.

તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો રેલ્વે પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૩૩૫૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:45 am IST)