Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

સર્વેશ્વર મહાદેવ મંદિરે સોમવારથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવઃ ત્રણ દિવસ કાર્યક્રમ

શ્રી રામ, શ્રી રાધાકૃષ્ણ, શ્રી હનુમાનજી અને નવગ્રહ મંદિરે મૂર્તિ પ્રતિષ્ઠાઃ શોભાયાત્રા, હવન, મહાપ્રસાદના કાર્યક્રમો

રાજકોટ,તા.૬: અહિંના સુપ્રસિધ્ધ એવા શ્રી સર્વેશ્વર મહાદેવ મંદિર (મિલાપનગર મેઈન રોડ, ઈનોવેટીવ સ્કુલ સામે, પંચાયત ચોક, યુનિવર્સિટી રોડ) ખાતે નવનિર્મીત શ્રી રામ મંદિર, શ્રી રાધાકૃષ્ણ મંદિર, શ્રી હનુમાનજી મંદિર તથા નવગ્રહ દેવનાં મંદિરમાં મુર્તિપ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન તા.૮ સોમવાર થી તા.૧૦ બુધવાર  સુધી કરવામાં આવેલ છે.

જેમાં તા.૮ સોમવારે ગણપતિ પુજન, પુણ્ય વાંચન, ગૃહશાંતિ, દેવતા સ્થાપન, શોભાયાત્રા, ધાન્યા દિવસ સાથે પુજન આરતી, વાસ્તુ હોમ તથા મંગળવાર તા.૯ મંગળવારે ગણપતિ તથા દેવતાઓનું પૂજન, સ્થાપિત દેવોનો હોમ, ધૃતાથીવાસ, કુલાધીવાસ, જલાધીવાસ, સાયંપુજન, આરતી, દેવશયન તથા બુધવારે દેવપુજન, દેવ પ્રતિષ્ઠાન, શાંતિ પુષ્ટિહોમ, ઉતરપુજન, બલીદાન, બીડુ હોમવાનો સમય બપોરે ૧૨:૩૦ કલાકે રાખવામાં આવેલ છે. મહાપ્રસાદ બુધવારે સાંજે ૭:૩૦ કલાકે રાખેલ છે. તો સર્વ ધર્મપ્રેમી જનતાને દર્શનનો લાભ લેવા મંદિર કમીટીના હસમુખભાઈ ગણાત્રા મો.૯૯૨૪૫ ૨૯૬૯૬, પરાગભાઈ પુજારી મો.૯૩૭૪૧ ૨૧૯૧૮, મનિષભાઈ હાપલીયા મો.૯૪૨૬૭ ૧૨૧૧૨, સુભાષભાઈ રામાણી મો.૯૮૨૪૮ ૮૫૯૯૦ દ્વારા આમંત્રણ અપાયું છે.

(4:09 pm IST)