Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

મનપાની મિલ્‍કત વેરા બાકીદારો પાસેથી કડક રિકવરી : ૬૦ લાખ જમા

રાજકોટ, તા. ૬ : શહેરમાં મનપાની વેરા વસુલાત શાખા મિલ્‍કત વેરાના બાકીદારો સામે સતત ઝુંબેશ ચલાવી મિલ્‍કત સીલ મારવા, ટોચ જપ્તીની નોટીસ નળ કનેકશન કપાત તથા રીકવરી કરવામાં આવી રહી છે. મનપાની સતાવાર યાદી મુજબ વર્ષ ર૦રર-ર૩ ની રીકવરી ઝુંબેશ અંતર્ગત વોર્ડ નં. ૪માં કુવાડવા રોડ પર ર-યુનીટને નોટીસ આપેલ.

વોર્ડ નં.પમાં માર્કેટીંગ યાર્ડ રોડ પર આવેલ ૧ યુનિટ નોટીસ આપેલ.

આજે સ. ઝોન દ્વારા કુલ ર૦ ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂા. ૩૦.૧૦ લાખ, વેસ્‍ટ ઝોન દ્વારા કુલ ૧ મીલ્‍કતોને સીલ મારેલ તથા ૧૮ મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂા. ૯.૦૯ લાખ, ઇસ્‍ટ ઝોન દ્વારા કુલ ૭, મિલ્‍કતોને સીલ મારેલ તથા ૧૧ મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂા. ૧૯.૧૮ લાખ, આજરોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ ર૩ મિલ્‍કતોને સીલ કરેલ તથા ૧ નળ કનેકશન કપાત તથા પ૦ મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ રીકવરી રૂા. ૬૦ લાખ રીકવરી કરેલ છે.

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્‍યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સ્‍પેકટર દ્વારા આસી. કમિશ્નર સમીર ધડુક તથા વી. એમ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

(4:32 pm IST)