સ્પષ્ટવક્તા જાણીતા પીઢ પત્રકાર, પ્રખર ગાંધીવાદી કાર્યકર નચિકેતા દેસાઈનું ૫ ફેબ્રુઆરી, રવિવારે સવારે તેમના અખબારના નગર નિવાસસ્થાને અવસાન થયું. તેઓ ૭૨ વર્ષના હતા. નચિકેતા દેસાઈ કેટલાક વર્ષોથી કેન્સર અને હૃદય સંબંધિત સમસ્યાઓથી પીડિત હતા. મહાદેવભાઇ દેસાઈના પૌત્ર, મહાત્મા ગાંધીના અંગત સચિવ અને ગાંધીવાદી વિદ્વાન નારાયણ દેસાઈના પુત્ર, નચિકેતા દેસાઈ બહુભાષી પત્રકાર અને લેખક હતા. ભારત છોડો ચળવળ દરમિયાન ગાંધીજીની સાથે ધરપકડ કરવામાં આવી ત્યારે મહાદેવભાઇ દેસાઈનું જેલમાં અવસાન થયું હતું. તેમના ઘણા અપ્રકાશિત લખાણો નચિકેતા દેસાઈ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા અને તે ગયા મહિને જ સાબરમતી આશ્રમ ખાતે બહાર પાડવામાં આવ્યા હતા.
નચિકેતા દેસાઈ એ તેમની પત્રકારત્વ કારકિર્દી ૧૯૭૮ માં શરૂ કરી હતી. ૪૫ વર્ષથી વધુની તેમની કારકિર્દીમાં, તેમણે અગ્રણી રાષ્ટ્રીય અને પ્રાદેશિક મીડિયા સંસ્થા, પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક સાથે કામ કર્યું હતું. તેમણે એક સંવાદદાતા તરીકે અને ડેસ્ક પર સંપાદક તરીકે ક્ષેત્રમાં કામ કર્યું હતું. તેઓ અમદાવાદ અને અન્ય સ્થળોએ દ્યણી માસ કોમ્યુનિકેશન સંસ્થાઓના વિઝિટિંગ ફેકલ્ટી પણ હતા. નચિકેતા દેસાઈએ ૧૯૭૮ માં ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે પત્રકારત્વમાં તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી અને હિંમત સાપ્તાહિક, યુએનઆઈ, ધ ટેલિગ્રાફ, ધ ઈન્ડિપેન્ડન્ટ, ઈટીવી ન્યૂઝટાઇમ, ઈન્ડિયા એબ્રોડ ન્યૂ સર્વિસ અને દૈનિક ભાસ્કર સહિત અને માધ્યમો સાથે કામ કર્યું હતું.
તેમના સમકાલીન લોકો અને મિત્રો તેમને એક ઉદાર અને સ્પષ્ટ વ્યક્તિ તરીકે યાદ કરે છે જેમણે એક રિપોર્ટર તરીકે ગુજરાત, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને બિહારમાંથી અનેક અસ્પષ્ટ સંશોધનાત્મક અહેવાલો અને માનવહિતની વાર્તાઓ લખી હતી. તેઓ બહુભાષી પત્રકાર હતા, અંગ્રેજી, હિન્દી, ઓડિયા, અવધી, મલયાલમ વગેરે ઘણી ભાષાઓના જાણકાર હતા.
દેસાઈજીએ ૧૯૮૦માં યુએનઆઈ સાથે તેની દિલ્હી ડેસ્ક પર કારકિર્દીની શરૂઆત કરી ત્યારબાદ મુંબઈ, ભોપાલ, અમદાવાદમાં યુએનઆઈ સાથે કામ કર્યું. ત્યારબાદ તેઓ સત્તાવાર રીતે ૧૯૮૩માં ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં જોડાયા અને તેની સાથે અમદાવાદ, ગાંધીનગરમાં કામ કર્યું. અખબારની ઓરિસ્સા આવૃત્તિના લોન્ચિંગ વખતે ભુવનેશ્વરમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની ત્યાં બ્યુરોના ચીફ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. એ બાદ દેસાઈજીએ ઈન્ડિયન પોસ્ટ, ઈન્ડિપેન્ડન્ટ, ન્યૂઝટાઈમ અને ધ ટેલિગ્રાફ સાથે પણ તેમની પ્રિન્ટ ઇનિંગ્સનો વિસ્તાર કર્યો. પરંતુ ૧૯૯૯ માં, નચિકેતા દેસાઈ હિન્દી પત્રકારત્વ તરફ વળ્યા અને એક્ઝિક્યુટિવ એડિટર તરીકે દૈનિક ભાસ્કર, ઈન્દોરમાં જોડાયા. તે પછી તે હિન્દીમાં પ્રથમ વેબ પોર્ટલ વેબદુનિયાના કન્સલ્ટિંગ એડિટર પણ બન્યા. ૨૦૦૭ થી ૨૦૧૨ સુધી, તેમણે બિઝનેસ ઈન્ડિયામાં વિશેષ સંવાદદાતા તરીકે કામ કર્યું. ત્યારબાદ તેમણે ફેલોશિપ પર કામ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેમણે એક પુસ્તક પણ લખ્યું. નચિકેતા દેસાઈની ગણના દેશના એવા થોડા પત્રકારોમાં થાય છે જેમની હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓ પર પ્રભુત્વ છે.
ગાંધીવાદી વિચારકો અને ગાંધીવાદના અનુયાયીઓ વચ્ચે નચિકેતા દેસાઈના પરિવારની ખૂબ જ પ્રતિષ્ઠા હતી. નચિકેતા દેસાઈ પણ અમદાવાદના સાબરમતી આશ્રમમાં નાગરિકતા સુધારા કાયદા અને NRC સામે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા વિરોધીઓ પર દેશભરમાં પોલીસ હિંસાના વિરોધમાં ઉપવાસ પર હતા. પહેલા તો આશ્રમના ગાંધીવિરોધી ટ્રસ્ટીઓએ પોતાની કાયરતા અને સરકાર-નિષ્ઠા બતાવીને નચિકેતાજીને આશ્રમના પરિસરમાંથી હટાવ્યા અને જયારે તે આશ્રમની બહાર ઉપવાસ પર બેઠા ત્યારે પોલીસે તેની ત્યાંથી ધરપકડ કરી હતી. નચિકેતા દેસાઈએ ગાંધીવાદી વિચારોના વાહક હતા અને વંચિતોનો અવાજ ઉઠાવવામાં કયારેય પાછીપાની કરી ન હતી. તેઓ એકલા મૌન ઉપવાસ પર હતા, પરંતુ તેમને આશ્રમ છોડવાની ફરજ પડી હતી અને બળજબરીથી દૂર કરવામાં આવ્યા હતા. અઠવાડિયા સુધી સતત ૧૨ કલાકના ઉપવાસ રાખ્યા બાદ તેમણે તેમના અનુભવ પરથી કહ્યું હતું કે, મેં ગાંધીજીને માત્ર થિયરીમાં જ વાંચ્યા હતા, પરંતુ જયારે મેં ઉપવાસ કર્યા ત્યારે મને ખૂબ જ આધ્યાત્મિક અને સુખદ અનુભવો થયા. મેં ગાંધીજીના સિદ્ધાંતો અને પ્રયોગો જાતે અજમાવ્યા અને જાણવા મળ્યું કે તે ખૂબ જ અસરકારક છે. દેસાઈજીએ કહ્યું કે આ રીતે હું આકસ્મિક કાર્યકર્તા બની ગયો.
એક ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ તરીકે તેમની ન્યૂઝ સ્ટોરીઝ બેનર બની જતી હતી. તે અહેવાલો પર સંસદમાં ચર્ચા થતી હતી. એક તપાસના સમાચાર પછી, તેણે મહિનાઓ સુધી તેના પરિવાર સાથે ભૂગર્ભમાં રહેવું પડ્યું, તે સમાચારને કારણે, અમદાવાદમાં પોલીસ બળવા પર ગઈ અને લશ્કરને બોલાવવું પડ્યું.
ઉલ્લેખનીય છે કે નચિકેતા દેસાઇના નાના શ્રી નબકૃષ્ણ ચૌધરી ઓડિશાના મુખ્યમંત્રી હતા. તેમના નાની પણ સ્વાતંત્ર્ય સેનાની રહ્યા છે. જયારે દાદા મહાદેવભાઈ દેસાઈ ૨૫ વર્ષ સુધી ગાંધીજીના ખાનગી સચિવ હતા. તેમના પિતા નારાયણ દેસાઈનો જન્મ સાબરમતી આશ્રમમાં થયો હતો અને તેઓ દેશ અને દુનિયામાં સેંકડો સ્થળોએ ગાંધી કથા કહેતા હતા, પરંતુ નચિકેતાજીએ પત્રકારત્વ પસંદ કર્યું અને ફાયરબ્રાન્ડ પત્રકારત્વ કર્યું.
તેમના પારિવારિક મિત્રના જણાવ્યા અનુસાર, નચિકેતા કેટલાક વર્ષોથી કેન્સર અને હૃદય સંબંધિત સમસ્યાઓથી પીડિત હતા. તેઓ ૭૨ વર્ષના હતા અને તેમના પરિવારમાં તેમની પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે. છેલ્લા બે વર્ષથી તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. પરંતુ તેમની તબિયત નાદુરસ્ત હોવા છતાં, તેમણે તેમના જુસ્સાને કારણે કામ કરવાનું ચાલુ રાખ્યું. તેમનું સંપાદિત પુસ્તક શ્નમહાદેવ દેસાઈ - મહાત્મા ગાંધીનો પાયોનિયરિંગ રિપોર્ટઙ્ખગયા વર્ષે તૈયાર કરવામાં આવ્યું હતું અને જાન્યુઆરી ૨૦૨૩માં સાબરમતી આશ્રમ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. દમનની વિકાસયાત્રામાં તેમનું યોગદાન ક્યારેય ભૂલી શકાય તેમ નથી.(૩૦.૯)
*મહાદેવભાઈ દેસાઇના પૌત્ર ગાંધીવાદી પત્રકાર નચિકેતા દેસાઈની ૭૨ વર્ષે લાંબી બીમારી બાદ વિદાય
* ૪૫ વર્ષથી વધુની તેમની પત્રકારત્વની કારકિર્દીમાં અનેક અગ્રણી રાષ્ટ્રીય અને પ્રાદેશિક મીડિયામાં કામ કર્યું હતું. તેઓ અંગ્રેજી, હિન્દી, ઓડિયા, અવધી, મલયાલમ વગેરે ઘણી ભાષાઓના જાણકાર હતા
*નચિકેતા દેસાઈએ ગાંધીવાદી વિચારોના વાહક હતા અને વંચિતોનો અવાજ ઉઠાવવામાં કયારેય પાછીપાની કરી ન હતી. તેઓ એકલા મૌન ઉપવાસ પર હતા, પરંતુ તેમને આશ્રમ છોડવાની ફરજ પડી હતી અને બળજબરીથી દૂર કરવામાં આવ્યા હતા.
*એક ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ તરીકે તેમની ન્યૂઝ સ્ટોરીઝ બેનર બની જતી હતી. તે અહેવાલો પર સંસદમાં ચર્ચા થતી હતી.
* નચિકેતાજીએ ગાંધી કથાને બદલે પત્રકારત્વ પસંદ કર્યું અને ફાયરબ્રાન્ડ પત્રકારત્વ કર્યું.