Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

સ્‍વ. વીણાબેન ગણાત્રાને શ્રધ્‍ધા સુમન પાઠવતા રાજકોટના રાજવી માંધાતાસિંહજી જાડેજા

  રાજકોટ : અકિલા પરિવારના શ્રીમતી વીણાબેન અજીતભાઇ ગણાત્રાનું દુઃખદ અવસાન થતા અકિલા પરિવાર ઉપર આવી પડેલા દુઃખમાં સહભાગી બનવા આજે રાજકોટના ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી મનોહરસિંહજી જાડેજા અકિલા પરિવારના નિવાસ સ્‍થાને પધાર્યા હતા. અકિલાના મોભી કિરિટભાઇ ગણાત્રા અને તંત્રીશ્રી અજીતભાઇને મળીને તેઓએ દિલસોજી પાઠવી હતી. આ સમયે અકિલાના પત્રકાર જયદેવસિંહ જાડેજા પણ સાથે રહ્યાં હતા. (ફોટો : સંદિપ બગથરીયા)

(12:49 pm IST)