Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

શનીવારે લોદ્રાધામ શ્રી બાલા હનુમાન આશ્રમે પૂ. બલરામદાસજી મહારાજનો ૧૧રમો જન્મ જયંતિ સમારોહ

મંડળો દ્વારા શ્રીરામ જય રામ જય જય રામ સત્સંગ સન્માન, પ્રવચન, પૂજન, પ્રસાદી સહિતનું આયોજન

રાજકોટ તા. પ :.. લોદ્રાધામના શ્રી બલરામ બાલા હનુમાન ટ્રસ્ટ પરિવાર દ્વારા શ્રી બાલા હનુમાન આશ્રમ, લોદ્રાધામ ખાતે  તા. ૧૦ ડીસેમ્બરને શનીવારે પૂ. બલરામદાસજી મહારાજનો ૧૧રમો જન્મજયંતિ સમારોહ યોજાશે.

આનંદકન્દ સર્વતંત્ર કરૃણા વરૃણાલય વિશ્વ વિનાયક શ્રી સીતા વલ્લભરાઘવજી મહારાજની પરમ અનુકંપાથી પ.પૂ. પ્રાંતઃ સ્મરણીય સંત શીરોમણી રાષ્ટ્રીય સંત સાકેતવાસી સદ્ગુરૃદેવ રામભકત સ્વામી પૂ. બલરામદાસજી મહારાજશ્રીનો જન્મ જયંતિ સમારોહ તા. ૧૦ ને શનિવારે લોદ્રાધામમાં ઉજવાશે.

આવા મહાન દિવ્ય પરમપાવન દર્શનીય સંત, સમાજ સુધારક, પૂ. સદ્ગુરૃદેવ ભગવાનની જન્મ જયંતિ અવસરે. સૌ ભાવિકોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવાયું છે.

આ જન્મજયંતિ મહોત્સવમાં સૌ ભાવિકો તથા મંડળોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

મહેસાણાથી લોદ્રાધામ શ્રી બાલા હનુમાન આશ્રમે આવવા - જવા માટે બસની વ્યવસ્થા વિનામુલ્યે કરવામાં આવશે.

પૂ. બલરામદાસજી મહારાજના ૧૧રમાં જન્મ જયંતિ સમારોહ અંતર્ગત તા. ૧૦ ને શનીવારે સવારે ૯ થી બપોરના ૧૧ વાગ્યા સુધી શ્રીરામ જય રામ જય જય રામ સત્સંગ દરેક મંડળો દ્વારા રજૂ કરવામાં આવશે.

બપોરે ૧૧ થી ૧૧.૪પ વાગ્યા સુધી સત્સંગ મંડળોનું સન્માન અને પ્રવચન યોજાશે. બપોરે ૧૧.૪પ થી ૧ર.૩૦ સુધી મહારાજશ્રીનું પૂજન કરવામાં આવશે. બપોરે ૧ર.૩૦ વાગ્યે પ્રસાદીનું આયોજન કરાયું છે.

મુખ્ય યજમાન શ્યામલાલ ખંડેલવાલ દિલીપકુમાર ખંડેલવાલ કલોક (લુંગાવાળા) મો. ૦૯૮રપ૦૪૦૮૦૭ છે.

ભાવિકોને જન્મજયંતિ મહોત્સવમાં ઉપસ્થિત રહેવા રાષ્ટ્રીય સંત શિરોમણી શ્રીશ્રી ૧૦૦૮ રામભકત સ્વામી, શ્રી બલરામદાસજી મહારાજ તથા ટ્રસ્ટીગણ, શ્રી બલરામબાલા હનુમાન આશ્રમ ટ્રસ્ટ પરિવાર, લોદ્રાધામ, ગુજરાત ફોન નં. (૦ર૭૬૩ ર૮પ૪ર૧) દ્વારા આમંત્રણ પાઠવાયંુ છે.

(3:52 pm IST)