Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ભાજપ દ્વારા કાલે ડો. શ્યામાપ્રસાદ મુખરજીની જન્મ જયંતિ નિમિતે પુષ્પાંજલી અર્પણ કરાશે

રાજકોટ તા. ૫ : શહેર ભાજપ દ્વારા કાલે તા. ૬ ના ભારતીય જનસંઘના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખરજીની જન્મ જયંતિ નિમિતે સવારે ૯ વાગ્યે રેસકોર્ષ આર્ટગેલેરી ખાતેની તેમની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાશે.

ભારતીય જનસંઘના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખરજી એક રાજનિતિજ્ઞ, વિચારક, દેશભકત હતા. દેશની એકતા અને અખંડીતતા બધાથી પર છે અને સમાજના વિવિધ તબકકાઓ વચ્ચે અલગ અલગ માપદંડ અપનાવવામાં ડો. શ્યામાપ્રસાદ મુખરજી માનતા હતા. તેઓ જમ્મુ કાશ્મીરને ભારતનું અવિભાજય અંગ માનતા.

ત્યારે કાલે તેમને પૂષ્પાંજલી અર્પણ કરવા યોજેલ કાર્યક્રમમાં તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે અનુરોધ કરેલ છે.

(4:15 pm IST)