Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

હુડકો કવાટર્સ પાસે અનમોલ ફરસાણમાંથી ૫ કિલો વાસી બરફીનો નાશ : નોટીસ

મનપાની ફૂડ શાખાના દરોડા : કોઠારિયા રોડ - ગીતાનગર - સહકાર રોડ વિસ્તારમાં ૨૬ ડેરી ફાર્મ - ફરસાણના ધંધાર્થીને ત્યાં ચેકીંગ

રાજકોટ તા. ૪ : નવરાત્રી તથા દશેરાના તહેવારોમાં મીઠાઇનું વ્યાપક પ્રમાણમાં વેચાણ થતું હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઇ તથા ફરસાણના ઉત્પાદન - વેચાણ કરતા સ્થળોનું ચેકીંગ કરવામાં આવેલ. ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફટી ઓન વ્હીલ્સ વાન સાથે કોઠારીયા રોડ, સહકાર રોડ, ગીતાનગર વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ૨૬ ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ ચેકીંગ દરમિયાન ૨ ને લાઇસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ. આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મનપાની ફૂડ શાખા દ્વારા અનમોલ ફરસાણ - હુડકો કવાટર્સ પાસે, કોઠારીયા મેઇનરોડ ખાતેથી સ્થળ પર સંગ્રહ કરેલ ૫ કિલો વાસી બરફીનો નાશ કરવામાં આવેલ તથા લાઇસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી.

(4:38 pm IST)