Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ખેતીની જમીનના શેઢાના ઝઘડામાં પકડાયેલ આરોપીઓનો નિર્દોષ છૂટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ, તા.૪: ખેતીની જમીનના શેઢા બાબતેના ઝઘડામાં પકડાયેલા ચાર આરોપીઓનો નિર્દોષ છુટકારો

રાજકોટના કુવાડવા પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદી હરજીભાઇ શીવાભાઇએ કરેલ ફરીયાદ મુજબ, ફરીયાદી અને આરોપીઓ વચ્‍ચે ખેતીની જમીનના શેઢા બાબતે ઝઘડો ચાલતો હોય જેમા ફરીયાદીને આરોપીઓ દ્વારા લોખંડના પાઇપ વડે તેમજ લાકડાના બડા વડે એક બીજાની મદદગારી કરી ફરીયાદી અને તેમની પત્‍નિને ઇજા કરતા આરોપીઓ સામે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૪, ૧૮૮ તથા ૧૪૪ મુજબનો શિક્ષાપાત્ર ગુન્‍હામાંથી આરોપી વાલજીભાઇ ડાયાભાઇ, શારદાબેન વાલજીભાઇ, દિનેશભાઇ વાલજીભાઇ તથા અરવિંદભાઇ વાલજીભાઇનો નિર્દોષ ઠરાવી છોડી મુકવાની હુકમ કોર્ટે ફરમાવેલ હતો.

આ કેસમાં આરોપીઓ વાલજીભાઇ ડાયાભાઇ, શારદાબેન વાલજીભાઇ, દિનેશભાઇ વાલજીભાઇ તથા અરવિંદભાઇ વાલજીભાઇ વતી સંકેત પ્રફુલભાઇ વસાણી - એડવોકેટ તથા ધ્રુતિ પ્રફુલભાઇ વસાણી - એડવોકેટ તરીકે રોકાયેલ હતાં.

(4:18 pm IST)