Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

પશુ નિકાસ રોકવા રાજયપાલને રજુઆત

 એનિમલ વેલ્ફેર બોર્ડના સદસ્ય અને જીવદયા ઘરના ટ્રસ્ટી રાજેન્દ્ર શાહ દ્વારા પશ્ચિમ બંગળમાંથી દરિયાઇ માર્ગે ગૌમાતા, ગૌવંશ અને અન્ય પશુઓની થઇ રહેલ ગેરકાયદેસર નિકસ અટકાવવા ત્યાનાં રાજયપાલ જગદીપ ધનખરજીને રૂબરૂ મળી રજુઆત કરવામાં આવી હતી. સાથો સાથ બીએસએફના જવાનો તેમજ ધ્યાન ફાઉન્ડેશન જેવી એનજીઓ સંસ્થાઓ દ્વારા બચાવાતા આવા પશુઓના નિભાવ માટે મુર્શીદાબાદ, માલદા, દીગજપુર, ૨૪ પરગણા જેવા જિલ્લાઓમાં ખેતી લાયક જમીન આપવા પણ માંગણી કરાઇ હતી. પશુ પક્ષીઓની સારવાર અર્થે એબ્યુલન્સ સેવા શરૂ કરવા વિનંતી કરવામાં આવેલ.

(4:30 pm IST)