Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

સોરઠીયા રજપુત સમાજના સમુહલગ્ન યોજાયા

રાજકોટઃ પ્રાતઃ સ્‍મરણીય પૂ.દેશળબાપુ, વિરલ વિભુતિ સંત પૂ.સંપૂર્ણાનંદજી બાપુ તથા મહામુકતરાજ સંત પૂ.દેવભગતના શુભાશીષ સાથે વિવિધ દાતાઓના સહકારથી સોરઠીયા રાજપુત સમાજ રાજકોટનો ૬ દિકરીઓનો સમૂહ લગ્નોત્‍સવ યોજાઇ ગયો.આ સમૂહ લગ્નોત્‍સવમાં સોરઠીયા રજપુત સમાજ અગ્રણીઓ ઉપરાંત રજપૂત સમાજના મોભી શ્રી વજુભાઇ વાળા(ધારાસભ્‍ય), પૂ.મસ્‍તરામબાપુ, શ્રી કિશોરભાઇ રાઠોડ(શહેર ભાજપ મહામંત્રી), શ્રી હીરેનભાઇ ખિમાણીયા શ્રી અશ્વિનભાઇ પાંભર, નિલેશભાઇ જલુ, શ્રી અલ્‍પેશભાઇ મોરઝરીયા, શ્રી બિપીનભાઇ બેરા વિગેરે ઉપસ્‍થિત રહયા હતારજપુત સમાજના મોભી વજુભાઇ વાળાએ પોતાની લાક્ષણીક શૈલીમાં દિકરીઓને ભણાવવાની તથા રાજપુતોએ થોડામાંથી થોડું આપવું એ જ ધર્મ છે તેમ સમાજને અપીલ કરેલ. ડો.દર્શિતાબેન શાહે પોતાની વકતવ્‍યમાં વિવિધ સંતોને યાદ કરી, મહિલાઓ પ્રવર્તમાન સમયે ભણી ગણી આગળ વધે તેમ કહી શુભાશિષ પાઠવેલ હતા.કાર્યક્રમને સફળ બનાવવા અખિલ ગુજરાત સોરઠીયા રજપુત સમાજના પ્રમુખશ્રી વિજયભાઇ ચૌહાણ તથા સોરઠીયા રજપુત સમાજના પ્રમુખશ્રી કાર્તિકભાઇ ચૌહાણની દેખરેખ હેઠળ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી

(4:32 pm IST)