Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

નાકરાવાડીમાં વંદના જીણોજાનો ગળાફાંસો ખાઇ આપઘાત

માતા શાકભાજી લઇને ઘરે આવતા પુત્રીને લટકતી જોઇ દેકારો મચાવ્‍યો : કારણ અકળ

 

રાજકોટ,તા. ૪ : કુવાડવા રોડ પર નાકરાવાી ગામમાં રહેતી યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર નાકરાવાડી ગામમાં રહેતી વંદના રામજીભાઇ જીણોજા (ઉવ.૧૮)એ ગઇ કાલે પોતાના ઘરે રૂમમાં ગળાફાંસો ખાઇ લીધો હતો. નાની બહેનો રૂમનો દરવાજો ખખડાવતી હતી .ત્‍યારે માતા શાકભાજી લઇને ઘરે આવતા નાની બેને વંદના દરવાજો ખોલતી ન હોવાનું જણાવતા જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્‍થળ પર પહોંચી વંદનાને સારવાર માટે ગીરીરાજ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યું હતું. મૃતક વંદના ચાર બહેન અને એક ભાઇમાં મોટી હતી. પિતા ટ્રેકટર ચલાવે છે. બનાવની જાણ થતા કુવાડવા પોલીસે સ્‍થળ પર પહોંચી યુવતીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગેનું કારણ જાણવા હેડ કોન્‍સ. અજયભાઇ નીમાવતે તપાસ હાથ ધરી છે.

 

(4:12 pm IST)