Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

સ્વ. ગીલાભાઇ આહિરની પૂણ્યતીથીએ મહારકતદાન કેમ્પ : ૩૩૬ યુનિટ એકત્ર

રાજકોટ : મુઠી ઉંચેરા માનવી તરીકેની અમીટ છાપ છોડી જનાર સ્વ. ગીરીશભાઇ હીરાભાઇ મિયાત્રા કે જેઓ ગીલાભાઇના નામથી ઓળખાતા હતા. કોઇપણ લોકોના કોઇપણ કામ માટે હંમેશા તત્પર રહેતા ગીલાભાઇ બહોળુ મિત્રવર્તુળ ધરાવતા હતા. તેમની છઠ્ઠી પૂણ્યતીથીએ મેઘાણી રંગ ભવન, ભકિતનગર સર્કલ ખાતે સ્વ. ગીલાભાઇ આહિર ગ્રુપ, ગોંડલ રોડ દ્વારા મહારકતદાન કેમ્પ યોજવામાં આવતા ૩૩૬ યુનિટ રકત એકત્ર થયુ હતુ. આ રકતદાન કેમ્પના ઉદ્દઘાટન પ્રસંગે મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, લાભુભાઇ ખીમાણીયા, મુકેશભાઇ ડાંગર, નાગદાનભાઇ ચાવડા, ભાનુભાઇ મેતા, અર્જુનભાઇ ખાટરીયા, મેણંદભાઇ ખીમાણીયા, જશુભાઇ રાઠોડ, અશોકભાઇ ડાંગર, વસરામભાઇ સાગઠીયા, મિતુલભાઇ દોંગા, દિનેશભાઇ ચોવટીયા, ઘનશ્યામભાઇ હેરભા, જે. ડી. ડાંગર, સવજીભાઇ મૈયડ, પ્રદિપભાઇ ડવ, નીતીનભાઇ ઢાંકેચા, કોર્પોરેટર હરીભાઇ ડાંગર, પ્રભાતભાઇ ડાંગર, વિજયભાઇ વાંક, વાસુરભાઇ ડેર, સુરેશભાઇ ગરૈયા, નીલેશભાઇ મારૂ, કનકસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, સંજયભાઇ અજુડીયા, વલ્લભભાઇ પરસાણા, ગૌતમ ગૌસ્વામી, ડો. જગમાલ ઘુંસર, ડો. હિમાંશુ રામ, ડો. જગમાલ બારડ, ડો. મુકુંદ પીઠીયા, ડો. શૈલેષ બાણુગરીયા, ડો. ધરમ કાંબલીયા, નેહલભાઇ શુકલ, જે. જે. ધ્રાંગા, યોગરાજસિંહ જાડેજા, લાલભાઇ હુંબલ, રાજુભાઇ ડાંગર, વિક્રમભાઇ ખીમાણીયા, કુષ્ણસિંહ જાડેજા, રાજવીરસિંહ વાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:36 pm IST)