Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

માર્કેટીંગ યાર્ડ નરસિંહનગરમાં ૧૦૮ના ચાલક સાથે દર્દીના સગાની માથાકૂટ

૧૦૮ના ચાલક રઘુભાઇ જોગરાણાને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા

રાજકોટ,તા. ૩ : શહેરના માર્કેટીંગ યાર્ડ પાસે નરસિંહનગરમાં દર્દીને લેવા માટે ગયેલા ૧૦૮ના ચાલક સાથે દર્દીના સગાએ ઝપાઝપી કરતા ૧૦૮ના ચાલકને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

મળતી વિગત મુજબ લીંબડીના વતની હાલ રાજકોટમાં રહેતા અને ૧૦૮માં ચાલક તરીકે ફરજ બજાવતા રઘુભાઇ મોહનભાઇ જોગરાણા (ઉવ.૩૭) રાત્રે પોતાની ફરજ પર હતા ત્‍યારે માર્કેટીંગ યાર્ડ પાસે નરસિંહનગરમાં એક વ્‍યકિત પડી જતા ઇજા થઇ હોવાનો કોલ આવતા રઘુભાઇ તેને લેવા માટે પહોંચતા દર્દીના સગાએ રઘુભાઇ સાથે માથાકૂટ ઝપાઝપી કરી હતી. ઝપાઝપીમાં ૧૦૮ના પાયલોટ રઘુભાઇને ઇજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:36 pm IST)