Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

સોરઠીયા રજપૂત સમાજ દ્વારા દશેરાએ શસ્ત્રપૂજન

રાજકોટ : પૂ. દેશળભગત, પૂ. સંપૂર્ણાનંદજી બાપુ તથા પૂ. દેવુભગતના આશીર્વાદ અને પ્રેરણાથી સોરઠીયા રજપુત સમાજ રાજકોટ દ્વારા વિજયા દશમીના પાવન પ્રસંગે તા. ૫ ના બુધવારે સાંજે ૪ થી ૬ સોરઠીયા રાજપૂત સમાજન ભવન, ૧-દીપક સોસાયટી ગાંધીગ્રામ ખાતે શષાપૂજનનો કાર્યક્રમ યોજેલ છે. કાર્તિકભાઇ ચૌહાણના અધ્‍યક્ષ સ્‍થાને સોરઠીયા રજપૂત સમાજ રાજકોટ પ્રેરીત અને સોરઠીયા રજપુત યુવા શક્‍તિ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં સોરઠીયા રજપુત સમાજના ભાઇ બહેનોએ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા અનુરોધ કરાયો છે. શષાપૂજનમાં જોડાવા અને વિશેષ માહીતી માટે પ્રોજેકટ ઇન્‍ચાર્જ મુકુન્‍દભાઇ રાઠોડ મો.૭૩૮૩૭ ૫૨૮૨૦ નો સંપર્ક કરવા જણાવાયુ છે. (૧૬.૩)

(4:32 pm IST)