Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

ખારચીયામાં બાઇક સરખુ ચલાવવા બાબતે મનિષ વધેડીયા પર ત્રણ શખ્‍સોનો હુમલો

ભાયાવદર પોલીસમાં અજય વધેડીયા, પુંજા સોલંકી અને મહેશ સોલંકી સામે ગુનો

રાજકોટ તા. ૩:ઉપલેટાના ભાયાવદરમાં રહેતા યુવાનને ‘મોટર સાયકલ સરખી રીતે ચલાવ’ તેમ કહી ત્રણ શખ્સોઍ લાકડી વડે માર મારતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ ખારચીયા ગામ ઢાંક ગોળાઇની બાજુમાં રહેતો મનીષ વેલજીભાઇ વધેડીયા (ઉ.વ.૨૨) ગઇકાલે પોતાનું મોટર સાયકલ લઇને બજારમાં જતો હતો ત્યારે ગરબી ચોક પાસે અજય રાજાભાઇ સોલંકી, પુંજા ટીલાભાઇ સોલંકી અને મહેશ ટીલાભાઇ સોલંકીઍ તેને રોકી ‘મોટર સાયકલ સરખી રીતે ચલાવ’ તેમ કહી લાકડી વડે માર મારતા મનિષ સહિતે બે વ્યકિતને ઇજા થઇ હતી. દેકારો બોલતા આસપાસના લોકો ઍકઠા થઇ ગયા હતા. બાદ બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે મનિષ વધેડીયાઍ ભાયાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા હેડ કોન્સ. જે.બી.મકવાણાઍ તપાસ હાથ ધરી છે.

 

(4:32 pm IST)