Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

એસોસિએશન ઓફ કન્‍સલ્‍ટિંગ સિવિલ એન્‍જિનિયર દ્વારા સેમિનાર યોજાયો

મનપાના ટાઉન પ્‍લાનીંગ અધિકારી એમ.ડી. સાગઠિયા સહિત ચાર અગ્રણીઓનું સન્‍માન

રાજકોટઃ૧૫ સપ્‍ટેમ્‍બર ગુરૂવારના દિવસે ભારત રતન એમ.વિશ્વેશ્વરૈયાના ૧૬૨માં જન્‍મજયંતી ઉપલક્ષમાં એન્‍જિનિયરસ ડે એસોસિએશન ઓફ કન્‍સલ્‍ટિંગ સિવિલ એન્‍જિનિયરસ-રાજકોટ દ્વારા સેમીનારનું આયોજન ન્‍યુએરા સ્‍કુલના ઓડીટોરીયમમાં કરવામાં આવ્‍યુ હતુ. ટેકલીનકલ સ્‍પિકર ડીઆર.તારક વોરા દ્વારા બિલ્‍ડીંગ ઇન્‍ફોર્મેશન મોડેલિંગ (બી.આઇ.એમ) પર એકસપર્ટ લેકચર આપ્‍યુ હતું. એસોસીએશન દ્વારા કાર્યક્રમના મહેમાનો એમ ડી સાગઠીયા, સ્‍પીકર ડીઆર. તારક વોરા, કલબ મટીરીયલ સ્‍ટુડિયો અશ્વિનભાઇ બોરડને મોમેન્‍ટો આપી તથા ન્‍યુ એરા સ્‍કુલના ટ્રસ્‍ટી અજયભાઇ પટેલનું સન્‍માન કરવામાં આવ્‍યુ હતું. પ્રમુખ ગૌરવભાઇ સોલંકી તથા સેક્રેટરી નિશાંતભાઇ દોમડીયા માર્ગદર્શન. ટી.એલ.સી કમિટી ચેરમેન ઇઆર. સંજય રાઠોડ અને કમિટી મેમ્‍બર્સ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી. તેમ સંસ્‍થાની યાદીમાં જણાવાયુ હતું.

(11:25 am IST)