Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

રામામંડળના પાત્રો સાથે ચેડા બંધ કરાવો

કરણીસેનાને આગળ આવવા જય બાબારી ટ્રસ્ટની રજુઆત

રાજકોટ : રામામંડળમાં રામદેવપીરના ઇતિહાસને મરોડીને રજુ ખોટા મનોરંજનના પાત્રો ઉમેરી આમાન્યા કરાતી હોય આ બાબતે પણ દરમિયાનગીરી કરવા જય બાબારી ટ્રસ્ટના આગેવાનો દ્વારા કરણી સેનાને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. રજુઆતમાં એવું જણાવાયુ છે કે રામાપીર તંવર શાખાના રાજપુત હોય અને તેમના બહેન સગુણાના લગ્નનો પ્રસંગ રામામંડળમાં ભજવાતો હોય ત્યારે સ્ત્રી પુરૃષ જાહેરમાં સાથે બેસીને ન જોઇ શકે તેવા દ્વીઅર્થી શબ્દો બોલીને તેમજ ફરમાઇશ મુજબ રમુજી ગીતો ગાઇને ડીસ્કા કરી શરમજનક દ્રશ્યો રજુ કરવામાં આવે છે. મર્યાદા લોપાય તેવા ખેલ રામામંડળમાંથી દુર કરાવવા જય બાબારી ટ્રસ્ટના આવેવાનોએ કરણી સેના સમક્ષ રજુઆત કરી હોવાનું કરણી સેના રાજકોટની યાદીમાં જણાવાયુ છે.

(6:11 pm IST)