Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

સંત રોહીદાસજીની વાજતે ગાજતે શોભાયાત્રા

સંત શીરોમણી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઇ વાઘેલા અને કમીટી મેમ્બરોના સહયોગથી  સંત શ્રી રોહીદાસબાપાની ૬૪૧ મી જન્મ જયંતિ નિમિતે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયુ હતુ. શ્રી સીતારામ બાપુ, વસરામભાઇ સાગઠીયા, ગુલાબભાઇ પરમાર, બકુલભાઇ દવેરા, દેવજીભાઇ ખીમસુરીયા, શામજીભાઇ ચાવડા, માધુભાઇ ગોહીલ વગેરેએ ઉપસ્થિત રહી પ્રાસંગીક પ્રવચન કરી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યુ હતુ. શોભાયાત્રાનું માર્ગોમાં ઠેરઠેર ફુલહારથી સ્વાગત તેમજ ઠંડા પીણા, આઇસ્ક્રીમ અને છાશ વિતરણ કરી સત્કાર કરાયો હતો. બહેનોના ધુન કિર્તન તેમજ બાદશાહ ગ્રુપના ધમાલ નૃત્યએ ભારે આકર્ષણ જમાવેલ. સમગ્ર શોભાયાત્રાનું સંચાલન રઘુભાઇ પરમાર અને કમીટી મેમ્બરોએ સંભાળ્યુ હતુ. (૧૬.૮)

(4:06 pm IST)