Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

ફલાવર-શોમાં જબ્બર લોક પ્રતિસાદથી તંત્ર જાગ્યુઃ રાત્રે ૧૧ વાગ્યા સુધી એન્ટ્રીઃ ૧ર સુધી ખુલ્લો રહેશે

કાલે છેલ્લો દિવસ લોકોને લાભ લેવા મેયર-કમિશ્નરની અપીલ

રાજકોટ તા.૩ : શહેરના રેસકોર્ષ ગાર્ડનમાં આવતીકાલ સુધી ભવ્ય 'ફલાવર શો'નું આયોજન કરાયુ છે.

આ વર્ષે પણ જબરો લોક પ્રતિસાદ મળતા ફલાવર શોના સમયમાં વધારો કરાયો છે. આ અંગે મેયર ડો.જૈમન ઉપાધ્યાય ત્થા મ્યુ.કમિશ્નર બંછાનીધિ પાનીએ જાહેર કર્યુ છે. 'ફલાવર શો' માટે જનમેદની ઉમટી રહી છે.

ત્યારે કોઇ આ ઉત્સવથી વંચિત ન રહી જાય તે માટે હવે છેલ્લા બે દિવસ એટલે કે આજે અને આવતીકાલે ફલાવર શોમાં રાત્રે ૧૦ વાગ્યે એન્ટ્રી બંધ કરવાને બદલે ૧૧ વાગ્યા સુધી લોકોને આવવા દેવાશે અને ૧૧ વાગ્યે એન્ટ્રી બંધ કરી રાત્રીના ૧ર વાગ્યા સુધી 'ફલાવર શો' ચાલુ રાખવા નિર્ણય લેવાયો છે.(૩-૧૪)

(3:51 pm IST)