Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

ભેંસાણના સાંકરોળામાં બેનાબેન આહિરે ગળાફાંસો ખાધોઃ ગંભીર

ક્રોધ ચડતાં પગલું: રાજકોટ સારવાર માટે ખસેડાયા

રાજકોટ તા. ૩: ભેંસાણના સાંકરોળા ગામે રહેતાં બેનાબેન બહાદુરભાઇ ભેડા (ઉ.૩૦) નામના આહિર પરિણીતાએ પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લેતાં પરિવારજનો જોઇ જતાં નીચે ઉતારી લઇ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે.

બેનાબેનના લગ્ન ચાર વર્ષ પહેલા થયા છે. સંતાનમાં એક પુત્રી છે. પતિ ખેતી કરે છે અને ગામમાં પાનનો ગલ્લો છે. બેનાબેનનો મગજ ક્રોધીત હોઇ નાની-નાની વાતે તેને ગુસ્સો આવી જતો હોઇ નજીવી વાતે ક્રોધમાં આવી જઇ આ પગલું ભર્યાનું તેના ભાઇએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાગળો કરી જુનાગઢ પોલીસને જાણ કરી હતી.

(10:13 am IST)