Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

કાલે ૧૪- જાગનાથ પ્‍લોટમાં રકતદાન કેમ્‍પ

સમસ્‍ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા જરૂરીયાતમંદ દર્દીઓના લાભાર્થે આયોજનઃ રકતદાતાઓને અનુરોધ

રાજકોટઃ સમસ્‍ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્‍ટ- રાજકોટ દ્વારા થેલેસેમીયાગ્રસ્‍ત બાળકો અને કેન્‍સર પીડીત દર્દીઓને વિનામૂલ્‍યે રકત મળી રહે તેવા શુભઆશયથી આવતીકાલે તા.૩ના રવિવારના રોજ મહારકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે.

૧૪- જાગનાથ પ્‍લોટ (એકલવ્‍ય હોલની સામે), ડો.યાજ્ઞિક રોડ ખાતે આવતીકાલે સવારે ૧૦ વાગ્‍યાથી આયોજીત આ મહારકત દાન કેમ્‍પમાં રકતદાતાઓએ રકતદાન કરી માનવધર્મ બજાવવા અનુરોધ કરાયો છે.

આયોજનમાં ટ્રસ્‍ટના પ્રમુખ ગોપાલભાઈ બોરાણા (મો.૯૭૨૬૦ ૦૦૦૪૪), રાજુભાઈ બોરાણા, ધર્મેશભાઈ સોઢા, મહેશભાઈ ગોહેલ, નિરવભાઈ વાણિયા, કમલેશ મછોયા, મેહુલભાઈ ગોહેલ, ભાવિન પરમાર, રવિભાઈ નકુમ, સુનિલ પેથાની, દિવ્‍યેશ ભોજક, મેહુલ જોગયાની જોડાયા છે.

(4:47 pm IST)