Gujarati News

Gujarati News

News of Friday, 2nd June 2023

બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી બાલાજી મંદિરે પહોંચ્યા: હનુમાનજીના શરણે નમન કર્યું : ભાવવંદના સાથે આરતી કરી

વિવેક સ્વામી (બાલાજી મંદિર ), રાધા રમણ સ્વામી, કનૈયાનંદજી સ્વામી,ભક્તિ સ્વામી ( ખીરસરા ) , વત્સલ સ્વામી અને ધર્મેન્દ્રસિંહ ઝાલા ( પિંટુભાઈ ) ઉપસ્થિત રહ્યાં

રાજકોટ : બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીજી આજે રાજકોટના પ્રસિદ્ધ બાલાજી મંદિરે પહોંચ્યા હતા, બાબાએ બાલાજી મંદિરે હનુમાનજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા, બાબા બાગેશ્વરે હનુમાનજીની આરતી કરી ભાવ વંદના કરી હતી, આ પ્રસંગે વિવેક સ્વામી (બાલાજી  મંદિર ), રાધા રમણ સ્વામી, કનૈયાનંદજી સ્વામી,ભક્તિ સ્વામી ( ખીરસરા ) , વત્સલ સ્વામી અને ધર્મેન્દ્રસિંહ ઝાલા ( પિંટુભાઈ ) સહિતના ઉપસ્થિત રહ્યાં હતા તસ્વીરમાં બાબા હનુમાનજીના દર્શન કરતા અને આરતી કરતા નજરે પડે છે, સાથે સ્વામી ગણ પણ નજરે પડે છે, આ વેળાએ મોટી સંખ્યામાં ભાવિકો પણ ઉઉમટી પડ્યા હતા * તસ્વીર સંદીપ બગથરીયા ) 

 

(8:15 pm IST)