Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

મતદારોએ શહેરની જેમ જ ગ્રામ્ય જનતાએ પણ કોંગ્રેસનો સફાયો કર્યો

મતદારોનો આભાર માનતા ગોવિંદભાઇ

રાજકોટ, તા. ર :  સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપનો ભગવો લહેરાવવા માટે ગ્રામ્ય તથા નગરપાલિકાના મતદારોનો રાજકોટ ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલએ આભાર વ્યકત કર્યો હતો.

શ્રી પટેલે વધુમાં જણાવ્યું છે કે કોંગ્રેસની અને અન્ય ભાજપ વિરોધી તત્વોએ ભાજપ સરકારને અનેક મોરચે ઘેરવાના પ્રયાસ કર્યો પરંતુ મતદારોને શહેરની જેમજ ગ્રામ્ય જનતાએ પણ કોંગ્રેસનો સફાયો કર્યો છે. ભાજપની કેન્દ્ર સરકાર કે જે ગ્રામ્ય ઉત્થાન માટે અને ખેડૂત અને ખેતીની આબાદ કરવાના જે હકારાત્મક પ્રયાસો કરી રહ્યા છે તેમજ દર વર્ષે ૭પ,૦૦૦ કરોડ જેવી કિસાન સન્માન નીધી મારફતે ખેડૂતના ખાતામાં જે રોકડ જમા કરાવવામાં આવી રહી છે તે ઉપરાંત ખેત બજાર ખુલ્લુ કરવાની નીતિ અને તેના કારણે ખેડૂતોને જે ભાવ મળી રહ્યા છે તેનો પ્રતિસાદ ગ્રામ્ય જનતા એ આપ્યો હોવાનું અંતમાં જણાવાયું છે.

(3:04 pm IST)