Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

નવાગામ રંગીલા સોસાયટીમાં સંજયને કિરણે ગડદા પાટુ માર્ર્યા

પત્નિને ભગાડી ગયો હોઇ અરજી કર્યાનો ખાર રાખી હુમલો

રાજકોટ તા. ૨: નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતાં રિક્ષાચાલક સંજય પ્રહલાદભાઇ ચોૈહાણ (ઉ.૨૮)ને આ વિસ્તારના જ કિરણ કનુભાઇ પરમારે ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં કુવાડવા રોડ પોલીસને જાણ કરાઇ હતી.

સંજયના કહેવા મુજબ પોતાની પત્નિને કિરણ પાંચેક મહિનાથી ભગાડી ગયો છે. આ અંગે તેણે અરજી કરી હોઇ તેના મનદુઃખનો ખાર રાખી પોતે ફઇના ઘર પાસે હતો ત્યારે હુમલો કરાયો હતો.

(11:48 am IST)