Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ગણાત્રા પરિવારને સાંત્‍વના પાઠવતા પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ

રાજકોટઃ અકિલાના તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રાના ધર્મપત્‍ની વિણાબેન ગણાત્રાનું દુઃખદ અવસાન થતા આજે પરિવારને સાંત્‍વના પાઠવવા પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવ અકિલાના પરિવારના નિવાસસ્‍થાને પધાર્યા હતા. શ્રી ભાર્ગવે અકિલા પરિવારના મોભી કિરીટભાઇ ગણાત્રા, અજીતભાઇ ગણાત્રા અને નિમિષભાઇ ગણાત્રાને દિલાસો પાઠવી સ્‍વ. વિણાબેનને શ્રધ્‍ધાંજલી પાઠવી હતી. આ સમયે ક્રાઇમ બ્રાંચના પી.આઇ.વાય.બી.જાડેજા અને અકિલાના સિનિયર પત્રકાર જયદેવસિંહ જાડેજા ઉપસ્‍થિત રહયા હતા. (ફોટોઃ સંદીપ બગથરીયા)

(4:06 pm IST)