Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

સમગ્ર પરિવારમાં સતત શકિતનું સિંચન કરનાર સ્‍વ. વીણાબેન ગણાત્રાની ખોટ કદી નહીં પૂરાયઃ આરસીસી બેન્‍ક પરિવાર

આરસીસી બેન્‍કના એમ.ડી.બીનાબેન કુંડલીયા, ચેરમેન મનસુખભાઇ પટેલ, સીઇઓ ડો. પરસોતમભાઇ પીપરીયા, ડે.જનરલ મેનેજર પ્રકાશભાઇ સંખાવલા સહિત સમગ્ર બોર્ડ ઓફ ડીરેકટર્સ દ્વારા સ્‍વ.વીણાબેનને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી

રાજકોટ તા. રઃ અકિલાના તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રાના ધર્મપત્‍ની વીણાબેન ગણાત્રાનું દુઃખદ અવસાન થતા રાજકોટ કોમર્શીયલ કો-ઓપરેટીવ બેન્‍ક લી.ના સમગ્ર પરિવાર દ્વારા ઉંડા શોકની લાગણી વ્‍યકત કરવામાં આવી હતી અને શોક ઠરાવ પસાર કરવામાં આવ્‍યો હતો.

આરસીસી બેન્‍ક રાજકોટના મેનેજીંગ ડીરેકટર બીનાબેન કુંડલીયા, ચેરમેનશ્રી મનસખુભાઇ પટેલ, સીઇઓ અને કાયદેઆઝમ ડો. પરસોતમભાઇ પીપરીયા, ડે.જનરલ મેનેજર શ્રી પ્રકાશભાઇ શંખાવલા તથા સમગ્ર બોર્ડ ઓફ ડીરેકટર્સે સ્‍વ. વીણાબેનને શ્રદ્ધાંજલી અર્પતા જણાવ્‍યું હતુ઼ કે સમગ્ર પરિવારમાં સતત શકિતનું સિંચન કરનાર સ્‍વ. વીણાબેન અજીતભાઇ ગણાત્રાની ખોટ કદી નહીં પૂરાય.

સેવા, સમર્પણ, શિસ્‍ત અને સંસ્‍કાર સાથેનું સ્‍વ. વીણાબેન ગણાત્રાનું વ્‍યકિતત્‍વ સમગ્ર પરિવાર અને સમાજ માટે ઉત્‍કૃષ્‍ટ આદર્શ સમાન હતું. સ્‍વ. વીણાબેનનો સરળ અને સાલસ સ્‍વભાવ દરેક માટે એક પીઠબળ સમાન હતો. સ્‍વ. વીણાબેનની ધાર્મિક પ્રકૃતિના કારણે સમગ્ર પરિવારમાં સતત પવિત્રતા છવાયેલી રહે છે, જેમાં ભવિષ્‍યમાં પણ સતત વધારો થતો રહેશે તેવું સમગ્ર આરસીસી બેન્‍ક પરિવારે શ્રદ્ધાંજલી અર્પતા જણાવ્‍યું હતું.

(4:03 pm IST)