Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

સ્‍વ.વીણાબેન ગણાત્રાને રાજકોટ લોહાણા મહાજન દ્વારા ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી

સત્‍ય, ધર્મ તથા પરોપકારને જીવનમંત્ર બનાવનાર સ્‍વ. વીણાબેન સમાજ માટે સદાય પ્રેરણારૂપ રહેશેઃ રાજુભાઇ પોબારૂ : સેવા અને સંસ્‍કારીતા થકી સ્‍વ.વીણાબેને સમાજને એક નવો રાહ ચીંધ્‍યો હતોઃ ડો. નિશાંત ચોટાઇ

રાજકોટ તા. ર : અકિલાના તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રાના ધર્મપત્‍ની વીણાબેન ગણાત્રાનું દુઃખદ અવસાન થતાં રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ, કારોબારી પ્રમુખ સહિત સમગ્ર ટ્રસ્‍ટી મંડળ અને સભ્‍યોએ ઊંડા શોકની લાગણી વ્‍યકત કરી હતી અને શોક ઠરાવ પસાર કરી સ્‍વ. વીણાબેન અજીતભાઇ ગણાત્રાને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી પાઠવી હતી.

રાજકોટ લોહાણા મહાજન દ્વારા પાઠવવામાં આવેલ શોક સંદેશમાં જણાવાયું છે કે સ્‍વ. વીણાબેન ગણાત્રા ધર્મપરાયણ, કૌટુંબિક વાત્‍સલ્‍ય ધરાવનાર, સરળ, માયાળુ, લાગણીશીલ સ્‍વભાવ ધરાવતા હતા. તેઓ હંમેશા ઘરને મંદિર માનીને જીવન જીવ્‍યા હતા.

રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂએ શ્રદ્ધાંજલી આપતા જણાવ્‍યું હતું કે સત્‍ય, ધર્મ તથા પરોપકારને જીવનમંત્ર બનાવનાર સ્‍વ.વીણાબેન ગણાત્રા સમાજ માટે સદાય પ્રેરણારૂપ રહેશે. લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇએ જણાવ્‍યું હતું કે સેવા અને સંસ્‍કારીતા થકી સ્‍વ. વીણાબેન ગણાત્રાએ સમાજને એક નવો રાહ ચીંધ્‍યો હતો, જે સદાય યાદ રહેશે. નવી પેઢી માટે પણ સ્‍વ. વીણાબેનના આદર્શો વર્ષો વર્ષ ઉપયોગી નિવડશે તેવો વિશ્વાસ વ્‍યકત કર્યો હતો.

રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રી યોગેશભાઇ પુજારા-પુજારા ટેલિકોમ, મંત્રીઓ રીટાબેન કોટક અને ડો. હિમાંશુભાઇ ઠકકર, ઇન્‍ટરનલ ઓડીટર ધવલભાઇ ખખ્‍ખર, ટ્રસ્‍ટીઓ શ્‍યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હિરેનભાઇ ખખ્‍ખર, મનિષભાઇ ખખ્‍ખર,  તુષારભાઇ ગોકાણી, દિનેશભાઇ બાવરીયા, હરીશભાઇ લાખાણી, શૈલેષભાઇ પાબારી, જતીનભાઇ કારીયા, રીટાબેન કુંડલીયા, જયશ્રીબેન સેજપાલ, રંજનબેન પોપટ, અલ્‍પાબેન બચ્‍છા, ધવલભાઇ કારીયા, ડો. આશીષભાઇ ગણાત્રા, યોગેશભાઇ જસાણી, પ્રદિપભાઇ સચદે, વિધિબેન જટાણીયા, દિપકભાઇ પોપટ સહિતના રાજકોટ લોહાણા મહાજનના તમામ સભ્‍યોએ સ્‍વ. વીણાબેન અજીતભાઇ ગણાત્રાને ભાવપૂર્વક શ્રદ્ધાંજલી અર્પી હતી.

(4:02 pm IST)