Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

વીણાબેનની ચેતનાને મારા પ્રણામ...નિર્વાણને શ્રધ્‍ધાંજલીઃ પૂ. મોરારીબાપુ

રાજકોટ તા. ર :.. ‘અકિલા' ના તંત્રીશ્રી અજિતભાઇ ગણાત્રાના ધર્મપત્‍નિ વીણાબેન ગણાત્રાનું દુઃખદ અવસાન થતા ઘેરો શોક છવાયો છે. ત્‍યારે વિશ્વ વિખ્‍યાત રામાયણ કથાકાર પૂ. મોરારીબાપુએ વીણાબેનને શ્રધ્‍ધાંજલી અર્પણ કરી છે.

‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને ‘અકિલા' ના તંત્રીશ્રી અજિતભાઇ ગણાત્રા સાથે ટેલીફોનીક વાતચીત કરીને પૂ. મોરારીબાપુ  પણ ગણાત્રા પરિવારના દુઃખમાં સહભાગી થયા હતાં.

પૂ. મોરારીબાપુએ જણાવ્‍યું હતું કે, સ્‍વ. વીણાબેનની ચેતનાને મારા પ્રણામ... તેમના નિર્વાણને શ્રધ્‍ધાંજલી.

પૂ. મોરારીબાપુએ શ્રી કિરીટભાઇ ગણાત્રા અને શ્રી અજિતભાઇ સાથે ટેલીફોનીક વાતચીત કરીને પરિવારને સાંત્‍વના પાઠવી હતી.

(4:02 pm IST)