Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

સ્‍વ. મગનભાઇ ચૌહાણની પાંચમી પુણ્‍યતિથિનિમિત્તે કાલે હાડકાના દર્દોનો નિઃશુલ્‍ક નિદાન કેમ્‍પ

યશ હોસ્‍પીટલના ડો. દિનેશ ચૌહાણના પિતા

રાજકોટ તા. રઃ શહેરની યશ હોસ્‍પીટલના ઓર્થોપેડિક સર્જન ડો. દિનેશ ચૌહાણના પિતાશ્રી સ્‍વ. મગનભાઇ ટપુભાઇ ચૌહાણ (બામણબોર) ની પાંચમી પુણ્‍યતિથિ નિમિત્તે આવતીકાલ તા. ૩ ના શુક્રવારે વિવિધ સામાજીક કાર્યો હાથ ધરવામાં આવ્‍યા છે.

જેમાં વિદ્યાનગર મેઇન રોડ પર આવેલ યશ હોસ્‍પીટલ ખાતે શુક્રવારે બપોરે ૧ થી પ સુધી કમરનો દુઃખાવો, હાડકાના દર્દોનો નિઃશુલ્‍ક નિદાન કેમ્‍પ યોજવામાં આવેલ છે.

હાડકાના દર્દોથી પીડાતા દર્દીઓએ કેમ્‍પનો લાભ લેવા જણાવાયું છે.વિશેષ વિગતો માટે યશ હોસ્‍પીટલ, વિદ્યાનગર મેઇન રોડ રાજકોટ (ફોન નં. ર૪૮૧૪૧૬, ર૪૬૩૭૪૪) નો સંપર્ક કરવો

(4:34 pm IST)