Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

રાજકોટમાં પ્રથમ વખત લોક સંસ્કૃતિનો ભવ્ય રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, સાથે રાષ્ટ્રીય એવોર્ડ પુરસ્કૃત દિગ્ગજ કલાકારો નું સન્માન થયું

લતીપુરની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત "શ્રી પટેલ રાસ મંડળી લોકકલા ટ્રસ્ટ"નું ભવ્ય-દિવ્ય આયોજન.

 રાજકોટના હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે સમગ્ર ગુજરાતના લોક કલાકારો અને લોકકલા સંસ્થાઓનો રમઝટ ભર્યો એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઇ ગયો. કર્ણાટકના પૂર્વ ગવર્નર  વજુભાઈ વાળાના અધ્યક્ષ સ્થાન તથા સરગમ ક્લબના પ્રમુખગુણવંતભાઈ ડેલાવાલા અને ફાલ્કન ગ્રુપ ઓફ કંપનીઝ ના સી.એમ.ડી. ધીરુભાઈના મુખ્યમહેમાન પદે આ કાર્યક્રમમાં ગુજરાતના રત્નો સમાન દિગ્ગજ કલાકારો કે જેઓ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રીય સંગીત નાટક અકાદમીના નવા વરાયેલા ચેરમેન તથા વાાઇસ ચેરમેન ડો. સંધ્યા પૂરેચાજી, લોક કલાવીદ પદ્મશ્રી જોરાવરસિંહજી જાદવ અને રાષ્ટ્ર કક્ષાએ સન્માનિત ઍવા શાહબુદ્દીનભાઈ રાઠોડ, શબ્દના આરાધક એવા આનંદ આશ્રમ ઘોઘાવદરના ડો નિરંજનભાઈ રાજ્યગુરુ, નળ સરોવર કાંઠે વસેલા રાણાગઢનાં શંકરભાઈ ધરજીયા, જામ - ખંભાળિયાના કલાકાર ડાયાભાઈ નકુમ તથા ગુજરાતના યુવા કોરિયોગ્રફર અંકુર પઠાણ ને સન્માનવાનો એક ભવ્ય સમારંભ પણ યોજાયો,સમગ્ર ગુજરાતના લોક કલાકારો તથા લોક કલા સંસ્થાઓના સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાઇ ગયો

આ ભવ્ય દિવ્ય કાર્યક્રમ નિહાળવા માટે રાજકોટ તથા સૌરાષ્ટ્ર ગુજરાતના અસંખ્ય નામી અનામી લોક કલાકારો તથા કલા પ્રેમી જનતાએ ઉત્સાહભેર હાજર રહી ખુબ પ્રસંશા કરી અને જીવન માં પ્રથમ વખત આવી કલા નિહાળવાનો મોકો મળ્યો એમ જણાવ્યું હતું. વજુભાઈ વાળા, ધીરુભાઈ સુવાગયા તથા ગુણવંતભાઈ ડેલાવાલાએ કલાકારોની કલાને ખુબ બિરદાવી હતી.

 આ પ્રસંગે પદ્મશ્રી જોરાવરસિંહજી જાદવે ગુજરાત ભરમાંથી ઉપસ્થિત લોકો કલાકારો અને લોકકલા સંસ્થાઓના સંચાલકોને એક સૂચન કર્યું કે તમે સૌ આજે જેમ સાથે મળીને આટલો ભવ્ય કાર્યક્રમ કર્યો છે એવી જ રીતે તમે સૌ પરંપરાગત લોક કલાકારો મહેન્દ્ર અણદાણીની આગેવાની તળે એક રાજ્ય વ્યાપી સંસ્થા બનાવો અને સરકારશ્રીને તથા કેન્દ્ર સરકારને આપની પ્રવૃત્તિઓ થી મદદ કરો અને ગુજરાતના તથા સમગ્ર ભારતના છેડે છેડે તમારી આ પરંપરાગત લોક કલાને પહોંચાડી લોક ભોગવ્ય બનાવો, ઉપસ્થિત તમામ કલાકારોએ  જોરાવરસિંહ જાદવ સાહેબના આ સૂચનને વધાવી લીધું હતું અને ટૂંક સમયમાં જ રાજ્ય કક્ષાની એક બેઠક યોજી અને આગળની કાર્યવાહી કરવાની ઘોષણા કરી હતી.

(11:35 pm IST)