Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ભાજપના સ્ટાર પ્રચારક રવિશંકર પ્રસાદ સાથે મનોજ નાયકની મુલાકાત

રાજકોટ તા. ૧ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જબ્બરદસ્ત માહોલ જામ્યો છે ત્યારે તાજેતરમાં ભાજપના પ્રચાર માટે રાજકોટ આવેલા સ્ટાર પ્રચારક અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી રવિશંકર પ્રસાદ સાથે જાણીતા અગ્રણી ઇન્સ્યોરન્સ કન્સલ્ટન્ટ શ્રી મનોજભાઇ નાયકે શુભેચ્છા મુલાકાત કરી હતી.

વર્ષો જુના સંબંધોના નાતે પીઢ પત્રકારશ્રી લવકુમાર મિશ્રાને યાદ કરીને શ્રી રવિશંકર પ્રસાદ અને મનોજભાઇ નાયક (મો.નં. ૮૧૨૮૬ ૭૦૮૦૦)એ જુની યાદો વાગોળી હતી અને રાજકોટના યાજ્ઞીક રોડ ઉપર સર્વેશ્વર ચોક ખાતે ફાસ્ટ ફૂડની મજા પણ માણી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે મનોજભાઇ નાયકના સ્વ. પિતાશ્રી પ્રો. આર.એમ.નાયક (પૂર્વ એચઓડી - સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) તથા સ્વ. માતુશ્રી શ્રીમતિ શશીબેન નાયક (પૂર્વ પ્રિન્સીપાલ માતૃશ્રી વીરબાઇમા મહિલા કોલેજ) ગુજરાતના નામાંકિત શિક્ષણવિદ્દો હતા. હાલમાં મનોજભાઇ નાયકના ધર્મપત્ની ડો. જયશ્રીબેન નાયક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. રાજકોટ આવેલા શ્રી રવિશંકર પ્રસાદે પત્રકાર પરીષદ પણ યોજી હતી.

(4:58 pm IST)