Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

સહકારનગરમાં વેપારી અંકિત દાવડાનો ઓફિસમાં ગળાફાંસો ખાઇ આપઘાત

નાગેશ્વરમાં રહેતાં યુવાને અકળ કારણે પગલુ ભર્યુઃ ચાર માસની દિકરીએ પિતાનું છત્ર ગુમાવતાં અરેરાટી

રાજકોટ તા. ૧: જામનગર રોડ નાગેશ્વરમાં રહેતાં અને સહકારનગર રોડ પર કેમિકલનો વેપાર કરતાં લોહાણા યુવાને પોતાની ઓફિસમાં જ અગમ્‍ય કારણોસર ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ નાગેશ્વર મંદિર નજીક એપલ ગ્રીન એપાર્ટમેન્‍ટમાં રહેતાં અંકિત પ્રકાશભાઇ દાવડા (ઉ.વ.૨૫) નામના યુવાને સહકારનગર મેઇન રોડ પર આવેલી પોતાની એ. ડી. એન્‍ટરપ્રાઇઝ નામની ઓફિસમાં દરવાજો લોક કરી છતના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જા ણ થતાં ભક્‍તિનગરના હેડકોન્‍સ. પ્રશાંતસિંહને થતાં ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ અંકિત માતા પિતાનો એકનો એક પુત્ર હતો. તેના ચાર વર્ષ પહેલા લગ્ન થયા હતાં અને સંતાનમાં ચાર માસની દિકરી છે. તે બાંધકામની સાઇટ પર વપરાતાં કેમિકલનો હોલસેલ વેપાર કરતાં હતાં. સાંજે મોડે સુધી ઘરે ન આવતાં ફોન જોડવામાં આવ્‍યો હતો. પણ ફોન રિસીવ ન થતાં પરિવારજનો ઓફિસે તપાસ કરવા આવ્‍યા ત્‍યારે દરવાજો લોક હોઇ તોડીને જોતાં તે લટકતી હાલતમાં દેખાતાં કલ્‍પાંત સર્જાયો હતો. આપઘાતનું કારણ પરિવારજનો જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

(4:28 pm IST)