Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

કર્ફયુની ૧૦મી રાત્રે જાહેરનામા ભંગના ૧૩૪ ગુના દાખલ કરતી પોલીસ

રાજકોટ તા. ૧: કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની રાહબરી હેઠળ તમામ પોલીસની ટીમો રાત્રી કર્ફયુનું કડક પાલન કરાવી રહી છે. દસમી રાતે જાહેરનામા ભંગના ૧૩૪ ગુના દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. લોકોને રાતે નવથી સવારના છ સુધી ઘરમાં જ રહેવા અનુરોધ કરાયો છે.

(2:44 pm IST)