Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

સરધારમાં તળાવ પાસે કુવામાં પડી જતા ગોરધનભાઇનું મોત

રાજકોટ, તા.૧: સરધાર ગામમાં તળાવ પાસે આવેલા કુવામાં પડી જતા વૃધ્ધનું મોત નિપજયુ હતું.

મળતી વિગત મુજબ સરધાર ગામમાં રહેતા ગોરધનભાઇ રત્નાભાઇ ઢાંકેચા (ઉ.વ.૭૫) વહેલી સવારે ગામ પાસે આવેલા તળાવ પાસે મંદિરે જતા હતા ત્યારે કુવામાં પડી જતા તેનુ મોત નિપજયુ હતું. આ બનાવ અંગે આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ. મહેન્દ્રભાઇએ કાર્યવાહી કરી હતી.

(5:00 pm IST)