Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

મનપાના સ્‍નાનાગરો ૧૦ દિ' બંધ રહેશે

૩૬મી નેશનલ ગેમ્‍સ અન્‍વયે : ૧૦ ઓકટોબરથી ત્રિમાસિક સત્રનું રજીસ્‍ટ્રેશન શરૂ થશે

રાજકોટ : ૩૬ મી નેશનલ ગેમ્‍સ અન્‍વયે શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ સ્‍નાનાગાર, કોઠારિયા રોડ તથા લોકમાન્‍ય તિલક સ્‍નાનાગાર, રેસકોર્ષ તા. ૧૦ ઓકટોબર સુધી બંધ રહેનાર હોય આ બંને સ્‍નાનાગારના વાર્ષિક સભ્‍યો, સ્‍વામી વિવેકાનંદ સ્‍નાનાગાર, પેડક રોડ અથવા મહિર્ષ દયાનંદ સરસ્‍વતી સ્‍નાનાગાર, કાલાવડ  રોડ પૈકી કોઇ એક સ્‍નાનાગાર ખાતે જઇ શકશે. વાર્ષિક સભ્‍યો માટે સરદાર વલ્લભભાઇ પટેલ સ્‍નાનાગાર, કોઠારિયા રોડ તથા લોકમાન્‍ય તિલક સ્‍નાનાગાર રેસકોર્ષ, તા. ૧૧ ઓકટોબરથી રાબેતા મુજબ શરૂ થશે.

તેમજ સરદાર વલ્લભભાઇ પટેલ સ્‍નાનાગાર, કોઠારિયા રોડ તથા લોકમાન્‍ય તીલક સ્‍નાનાગાર, રેસકોર્ષના નવા ત્રિમાસિક સત્રનું રજીસ્‍ટ્રેશન તા. ૧૦થી શરૂ થશે.

(3:55 pm IST)