Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

કાલે મવડીની શ્રીનાથજી, નવલનગર, વિનાયક નગરની ૭૫૧ દીકરીઓને ચાંદીના સાંકળાની લ્‍હાણી વિતરણ

બાળાઓ માટે મહાપ્રસાદઃ શ્રી ઉદયેશ્વર સોમનાથ મહાદેવ સેવા સમિતિ દ્વારા આયોજન

રાજકોટઃ આવતીકાલે તા.૨/૧૦ને રવિવારે સાંજે ૫ કલાકે ભુપતભાઈ માંડણભાઈ બસીયા પ્રમુખશ્રી ઉદયેશ્વર સોમનાથ મહાદેવ સેવા સમિતિ મવડી રોડ રાજકોટ દ્વારા સતત છઠ્ઠા વર્ષે નવરાત્રીમાં શ્રીનાથજી, નવલનગર, વિનાયક નગરની ૭૫૧થી વધુ ગરબીની બાળાઓને ચાંદીના સાકળાની લ્‍હાણી તેમજ  પ્રસાદનું આયોજન કરેલ છે.

ઉલ્લેખનિય છે કે ભુપતભાઈ બસીયા અને ગ્રુપ દ્વારા દરવર્ષે સમુહલગ્નનું આયોજન કરે છે. છેલ્લા પાંચ વર્ષથી બાળાઓને ચાંદીના સાકળાની લ્‍હાણી વિતરણ કરવામાં આવે છે. આ લ્‍હાણી વિતરણ કાર્યક્રમમાં પ્રદિપભાઈ ડવ, ધારાસભ્‍ય લાખાભાઈ સાગઠીયા, શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધર્મેન્‍દ્રસિંહ રાણા (સહકાર ગ્રુપ પ્રમુખ), ઘનશ્‍યામભાઈ હેરભા (ટ્રસ્‍ટી માલવીયા કોલેજ), રાજુભાઈ બોરીચા (ભાજપ અગ્રણી) સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહેશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ઉદયેશ્વર સોમનાથ સેવા સમિતિના પ્રમુખ  ભુપતભાઈ બસીયા, યોગેન્‍દ્રસિંહ જાડેજા, રાજભા જાડેજા, વિક્રમભાઈ વાંક, ધવલ બસીયા, સાગર બસીયા, રવિભાઈ વાંક, વિજયભાઈ સબાડ, કિરીટભાઈ ખાદા, પદુભા રાયજાદા સહિત જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગત માટે મો.૯૭૨૪૯ ૧૧૧૧૯, મો.૯૯૧૩૬ ૦૨૦૨૦ ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:45 pm IST)