Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

રૈયાધાર બંસીધર પાર્કમાં ઇંટોના ભઠ્ઠાવાળા શૈલેષ પ્રજાપતિ પર ભરવાડ બંધુનો હુમલો

સુરો અને તેના ભાઇએ સરકારી ખરાબાની જગ્‍યા ખાલી કરવા અથવા ભાડુ આપવાનું કહી ગુંડાગીરી આચર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૧: રૈયાધારમાં આવેલા બંસીધર પાર્ક-૨માં ઇંટોનો ભઠ્ઠો ધરાવતાં અને શાષાીનગર-૧૪માં રહેતાં પ્રજાપતિ યુવાન શૈલેષ સવજીભાઇ સંચાણીયા (ઉ.૩૨)ને તે સવારે પોતાના ભઠ્ઠા પર હતો ત્‍યારે સુરો ભરવાડ અને તેના ભાઇએ આવી ઝઘડો કરી લાકડીથી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો છે.
શૈલેષ સંચાણીયાએ જણાવ્‍યું હતું કે બંસીધર પાર્કમાં છેલ્લા ઘણાવર્ષોથી સરકારી ખરાબામાં પોતાનો ઇંટોનો ભઠ્ઠો છે. સુરા ભરવાડ અને તેના ભાઇએ આવી આ જગ્‍યા ખાલી કરી નાખવા અથવા પોતાને આનું ભાડુ આપવાનું કહેતાં પોતે ખાલી નહિ કરે અને ભાડુ પણ નહિ આપે તેમ જણાવતાં બંનેએ લાકડીથી માર માર્યો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

 

(3:44 pm IST)