Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

સોમવારે વોર્ડ નં.૧૧,૧૨, ૧૩ની ૫૧૦૦થી વધુ બાળાઓને ભોજન પ્રસાદ- લ્‍હાણી વિતરણ

જે માડી ગ્રુપના ખાંડેખા અને બોરીચા પરિવાર દ્વારા ૧૬માં વર્ષે સેવામય આયોજન

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૧,૧૨,૧૩ માં ૧૬ વર્ષથી નીભાવવામાં આવતી પરંપરાનું તા.૩ ઓકટોબર સોમવારે પુનરાવર્તન કરવામાં આવશે. જે માડી ગ્રુપ દ્વારા વોર્ડ નં.૧૩ના યુવા ભાજપ પ્રમુખ તેમજ અને ખાંડેખા અને બોરીચા પરીવારનાં સભ્‍યો સાથે મળીને પ્રતીવર્ષ નવરાત્રીમાં વોર્ડ નં.૧૩માં આવેલી તમામ ગરબીઓની બાળાઓને ભોજન પ્રસાદ કરાવીને લહાણી વિતરણ કરે છે.

જેનાં ભાગરૂપે આ વર્ષે પણ સોમવારે બાળાઓને ભોજન કરાવવામાં આવશે. માડી ગ્રુપના જયભાઈ બોરીચા દ્વારા તા.૩ ઓકટો. સોમવારે બપોરે ૧૨ વાગ્‍યે બાળાઓને ભોજન પ્રસાદ જે માડી, ૩/૧૭ નવલનગર મવડી પ્‍લોટ ખાતે કરાવવામાં આવશે અને લ્‍હાણી વિતરણ કરવામાં આવશે.

આયોજનને સફળ બનાવવા સર્વશ્રી નાથાભાઈ જુગાભાઈ ખાંડેખા, મેહુલભાઈ નાથાભાઈ બોરીચા, સંજયભાઈ નાથાભાઈ બોરીચા, વિજયભાઈ છગનભાઈ ખાંડેખા, સંજયભાઈ છગનભાઈ ખાંડેખા, મયુરભાઈ બાબુભાઈ ખાંડેખા, વિનય મેહુલભાઈ બોરીચા, સ્‍મીત સંજયભાઈ બોરીચા, અમિત બોરીચા, જેસલ  સંજયભાઈ બોરીચા, ડો.મનિષ ગોસાઈ જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગતો માટે મો.૯૦૧૬૩ ૧૧૧૧૧ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:44 pm IST)