Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

મવડીમાં મગજ ભમતો હોવાથી વૃધ્ધ માધાભાઇ સોરઠીયાનો સળગીને આપઘાત

નાડોદાનગરમાં ટાંકો સાફ કરતી વખતે રાજેશભાઇ બેભાનઃ મોત

રાજકોટ તા. ૧: મવડી સરકારી દવાખાના પાછળ રહેતા પટેલ વૃધ્ધે માનસીક તનાવથી કંટાળી સળગી આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ મવડી સરકારી દવાખાના પાછળ રહેતા માધાભાઇ જાગાભાઇ સોરઠીયા (ઉ.વ. ૭ર) એ સવારે પોતાના ઘરે કેરોસીન છાંટી ;ળગી તેને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમયાન મોત નિપજયું હતું. મૃતક માધાભાઇએ માનસીક તનાવના કારણે તેે આ પગલું ભર્યાનું ખુલ્યું હતું આ અંગે તાલુકા પોલીસે મથકના હેડ કોન્સ. પ્રવિણભાઇએ તપાસ હાથ ધરી છે.

જયારે બીજા બનાવમાં હુડકો પોલીસ ચોકી પાછળ નાડોદાનગર શેરી નં. ૬ માં રહેતા રાજેશ વિઠ્ઠલભાઇ ધારૈયા (ઉ. ૩પ) સવારે પોતાના ઘરે પાણીના ટાંકો સાફ કરતા હતા ત્યારે તે એકાએક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમયાન મોત નિપજયું હતું. આ અંગે ભકિતનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:48 pm IST)