Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

કાગદડીના ખોડીયાર આશ્રમના મહંતના આપઘાત કેસમાં આરોપીની જામીન અરજી નામંજુર

રાજકોટ, તા., ૧: કાગદડીના ખોડીયાર આશ્રમના મહંતના આપઘાત કેસમાં આરોપી વિક્રમ સોહલાની ચાર્જશીટ પછીની જામીન અરજીને અદાલતે ફગાવી દીધી હતી.
ગત તા.૧-૬-૨૧ના રોજ મોરબી રોડ ઉપર આવેલ કાગદડીના ખોડીયાર આશ્રમના મહંતે આપઘાત કર્યાનો ગુન્‍હો તા.૮-૬-૨૧ના રોજ કુવાડવા પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ તે ગુન્‍હામાં આરોપી વિક્રમ દેવજીભાઇ સોહલાની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કરેલ.
જેલમાંથી આરોપીઓ ચાર્જશીટ થયા પછી જામીન ઉપર છુટવા સેસન્‍સ કોર્ટમાં જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપીઓએ આપઘાતના બનાવને કુદરતી મૃત્‍યુમાં ખપાવવાનો ગુન્‍હો કરેલ છે. તેમજ આરોપી વિક્રમ સોહલાએ સુપ્રિમ કોર્ટ સુધી આગોતરા જામીન અરજી કરેલ છે તેમ છતા કોઇ રાહત મળેલ નથી. આવા આરોપીને જામીન આપવા જોઇએ નહી તેવી રજુઆત કરેલ તે રજુઆતને ધ્‍યાને લઇ સેસન્‍સ  જજશ્રી પી.કે.લોટીયાએ જામીન અરજી રદ કરેલ છે. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

 

(4:11 pm IST)