Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ગોપાલનગરમાં આવેલ દ્વારકાધીશ હવેલી ખાતે અષાઢી બીજની શાનદાર રથયાત્રાઃ સાંજે દર્શન

રાજકોટ : શહેરના મહત્વના એવા ૧/૬, ગોપાલનગર-ગાયત્રીનગર મેઇન રોડ ખાતે આવેલ શ્રી દ્વારકાધીશ હવેલી ખાતે પૂ.પા.ગોસ્વામી ૧૦૮મી દ્વારકાધીશ લાલજી મહારાજ-અમરેલીની આજ્ઞા-આશીર્વાદ સાથે અષાઢી બીજ સંદર્ભે શાનદાર રથયાત્રા ઉત્સવની ઉજવણી કરાઇ હતી, આસપાસના વિસ્તારના ભાવિકો ઉમટી પડયા હતા, મગ-જાંબુના પ્રસાદનું વિતરણ કરાયું હતું સાંજે પણ ૬-૪પ થી ૭-૧પ સૂધી ભવ્ય દર્શન થશે, તસ્વીરમાં મૂખ્યાજી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાથે નજરે પડે છે. આ હવેલીમાં તમામ મનોરથ યોજાય છે, જે માટે મોબાઇલ ૯૭૩૭૩ ૭૭૪૮૪ ઉપર સંપર્ક કરી શકાય છે.

(3:51 pm IST)