Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

મણીનગરમાં યુપીના અજયનું અચાનક બેભાન થઇ જતાં મોત

રાજકોટ તા. ૧: આનંદ બંગલા ચોક પાસે મણીનગર કૈલાસ પ્રિન્ટીંગ પાસે રહેતો અજય નરેશભાઇ રાજભર (ઉ.૨૭) સવારે ચારેક વાગ્યે ઓચીંતો બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

અજય મુળ યુપીના બનારસનો વતની હતો અને અહિ કારખાનામાં કામ કરતો હતો. તે બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. અચાનક મોતથી પરિવારજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

(1:38 pm IST)