Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

રાજકોટના એડવોકેટ સંજયભાઇ પંડિતની આમ આદમી પાર્ટીમાં સ્‍ટેટ વાઇસ પ્રેસિડન્‍ટ તરીકે નિમણુંક

રાજકોટ,તા. ૧ : રાજકોટમાં ૧૦ વર્ષથી વકીલાત કરતા વકીલશ્રી સંજયભાઇ પંડિતની આમ આદમી પાર્ટીની લીગલ વીંગમાં ગુજરાત રાજ્‍યનાંખ વાઇસ પ્રેસિડેન્‍ટ તરીકે નિયુકતી કરવામાં આવેલ છે.

સંજયભાઇ પંડિત છેલ્લા ઘણા લાંબા સમયથી ભ્રષ્‍ટાચાર વિરૂધ્‍ધ અસામાજીક તત્‍વો વિરૂધ્‍ધ, ગેંગસ્‍ટરો વિરૂધ્‍ધ અભિયાનો ચલાવી રહેલ છે. અને જાહેર જનતાનો કાયદોમાં વિશ્વાસ વધે, સામાન્‍ય લોકોમાં કાયદા પ્રત્‍યે જાગૃતતા આવે તે બદલ પણ સંજયભાઇ પંડિત યુ ટયુબ અને સોશ્‍યલ મીડીયાના માધ્‍યમથી વિડીયો પણ પ્રસારિત કરી રહ્ય છે અને સોશ્‍યલ મીડીયા ઉપર સંજયભાઇ પંડિતના હજારોની સંખ્‍યામાં ફોલોઅર્સ છે.

આમ આદમી પાર્ટીએ સંજયભાઇ પંડિતની લીગલ વીંગમાં સ્‍ટેટ વાઇસ પ્રેસિડેન્‍ટ તરીકે નિયુકતી કરેલ તે બદલ સંજયભાઇ પંડિતએ પાર્ટીના વરિષ્‍ઠ નેતાઓનો આધાર વ્‍યકત કરેલ છે.

(10:33 am IST)