Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

મનપાના સ્‍ટાફ સ્‍પોટર્સ એન્‍ડ રિક્રિએસન કલબ દ્વારા ડો. પી. પી. રાઠોડનું સન્‍માન

પૂર્વ નાયબ આરોગ્‍ય અધિકારી દ્વારા સંસ્‍થાને પ૧ હજારનું અનુદાન

રાજકોટઃ મહાનગરપાલિકાના નાયબ આરોગ્‍ય અધિકારી ડો. પંકજ પી. રાઠોડ તાજેતરમાં વય મર્યાદાથી નિવૃત થતાં તેમને સન્‍માનિત કરવા મેયર ડો. પ્રદીપ ડવના સાનિધ્‍યમાં મ્‍યુનિસિપલ કોર્પોરેશનની સ્‍ટાફ સ્‍પોર્ટ્‍સ એન્‍ડ રિક્રિએસન કલબ દ્વારા કલબના હોદેદારો પ્રમુખ કિર્તીકુમાર જોષી, મંત્રી મયુરભાઇ પરનાલિયા, કારોબારી અધ્‍યક્ષ અને માર્ગદર્શક દિલીપભાઇ પંડયા ઉપરાંત અન્‍ય હોદેદારો સર્વશ્રી ઇશ્‍વરભાઇ સોલંકી, અમિતન નાગોરી, મહત્‍વ આચાર્ય, દિપ્‍તીબેન આગરીયા, સુધાબેન દવે, રેણુકાબેન કકકડ, પૂર્વ પ્રમુખ મૌલેશભાઇ વ્‍યાસ તથા હસમુખભાઇ ગણાત્રાની ઉપસ્‍થિતિમાં સન્‍માનપત્ર-આભારપત્ર અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે છેલ્લા તેતાલીશ વર્ષની અવિરતપણે મ્‍યુનિસિપલ કોર્પોરેશનનાં પરિવાર માટે કાર્યરત રીક્રીએશન કલબની પ્રવૃતિઓ જેમાં ખાસ કરીને પ્રતિભા સંપન્‍ન વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કરવાની પ્રવૃતિથી પ્રભાવિત થઇને ડો. પી. પી. રાઠોડે આપેલ રૂપિયા એકાવન હજારના અનુદાન માટે આભારપત્ર એનાયત કરવામાં આવેલ હતો. તેમ સંસ્‍થાની યાદીમાં જણાવાયું હતું. 

(3:27 pm IST)