Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

તારે અહિ આવવું નહિ...તેમ કહી ચોટીલામાં વ્યંઢળ ચાંદનીદે પર હુમલો

બે અજાણ્યા શખ્સોએ લાકડી અને ગડદા-પાટુનો માર માર્યો

રાજકોટ તા. ૧: ચોટીલામાં વ્યંઢળને બે શખ્સોએ લાકડી અને ઢીકા-પાટુનો માર મારતાં સારવાર માટે દાખલ થવું પડ્યું હતું.

જાણવા મળ્યા મુજબ ચોટીલાના ખુશીનગરમાં રહેતાં ચાંદનીદે તમન્નાદે (ઉ.૨૫) પર સાંજે પાંચેક વાગ્યે તે ચોટીલા ચામુંડા માતાજીના મંદિર નીચે માંગવા માટે ઉભેલ ત્યારે  બે અજાણ્યા શખ્સોએ આવી લાકડી અને ઢીકા-પાટુનો માર મારતાં પગ અને શરીરે ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ અને રવિભાઇ ગઢવીએ ચાંદનીદેની સાથેના જયાદે તમન્નાદેનું નિવેદન નોંધ્યું હતું. તેણે કહ્યું હતું કે ચાંદનીદે મંદિર નીચે ઉભેલ ત્યારે બે શખ્સોએ આવીને તારે અહિ આવવું નહિ તેમ કહી ઝઘડો કરી હુમલો કર્યો હતો. ચોટીલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(10:37 am IST)