Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022
સરોજબેન પંચોલીનું અવસાન

રાજકોટઃ ઔદિચ્‍ય ગુજરાતી ૪૫૦ મુ. આટકોટ હાલ રાજકોટના સરોજબેન પંચોલી (ઉ.વ.૬૨) તે સુરેશભાઈના પત્‍નિશ્રી, દિવ્‍યેશભાઈ, કૃણાલભાઈ, દેવેનભાઈના માતુશ્રી અને છોટાલાલ ભટ્ટ નારણકાના દીકરીનું તા.૨૪ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧/૧૨ ગુરૂવારે રાજકોટ ખાતે રાખેલ છે.

રાણસીકીનાં ગુણીબેન દવેનુ અવસાનઃ આજે સાંજે બેસણુ

રાજકોટ : સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મુળ રાણસીકી નિવાસી હાલ રાજકોટ, ગીતાબેન (ગુણીબેન) વિનુભાઇ દવે (ઉ.વ.૬૯) તે સ્‍વ. વિનુભાઇ શાંતીલાલ દવેના ધર્મપત્‍ની તથા મનીષ (રાજકોટ), રક્ષિત (સુરત) તથા દિપ્તિબેન અંશુમાન મહેતા (રાજકોટ)ના માતુશ્રી તેમજ પ્રવિણભાઇ એસ. દવેના નાનાભાઇના પત્‍ની, તથા અલ્‍પેશભાઇ (બહાદુરભાઇ) સત્‍યેન, તુષાર, પપુબેન મનીષભાઇ પાઠક(સુરત)ના માસી-કાકી તથા સ્‍વ. પ્રવિણભાઇ (વિસાવદર), દિનુભાઇ ભરતભાઇ (ગોંડલ) ના બહેનનું આજે તા. ર૬ ના અવસાન થયેલ છે.

બેસણું તા. ર૮ ને સોમવારે બપોરે ૩.૩૦ થી પ.૩૦ તેમના નિવાસ સ્‍થાન સી-૩૦ર, ત્રીજો માળ, શ્‍યામલ સ્‍કાય લાઇફ, સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ અને અંબિકા ટાઉનશીપ પાસે, આર્યલેન્‍ડ સોસાયટી સામે, જીવરાજ પાર્ક પાસે, ૮૦ ફુટ રોડ રાજકોટ ખાતે રાખેલ છે. મનીષભાઇ મો. ૯૮૭૯૩ ૧૧૮૭૧, રક્ષિતભાઇ ૯૯ર૪પ ૭૧૭૧૩, તુષારભાઇ ૯૮૭૯૧ ૦૬ર૦૩

અવસાન નોંધ

બટુકભાઈ ભટ્ટી

રાજકોટઃ ત્રંબા (કસ્તુરબા ધામ) નિવાસી વાણંદ બટુકભાઈ લાલજીભાઈ (ઉ.વ.૭૩) તે સ્વ.વિરજીભાઈ તથા સ્વ.નાનજીભાઈ, સ્વ.ગિરધરભાઈ નાનાભાઈ તથા મનસુખભાઈના ભાઈ તા.૨૭ના ત્રંબા ખાતે દુઃખદ અવસાન થયેલ છે.

લીલાવંતીબેન જોષી

રાજકોટઃ ઔદીચ્‍ય ઝાલાવાડી બ્રાહ્મણ મુળ બગથળા (મોરબી) હાલ રાજકોટ નિવાસી ગં.સ્‍વ.લીલાવંતીબેન જોષી લલીતચંદ્ર જોષી તે ભરતભાઈ, વિનોદભાઈ દિનેશભાઈ તેમજ ધર્મીષ્‍ઠાબેનના માતુશ્રી તા.૨૭ રવિવારના રોજ કૈલાસવાસ થયેલ છે. જેમનું બેસણું તા.૨૮ને સોમવારે સાંજે ૫ થી ૬ તેમના નિવાસસ્‍થાને દ્વારીકા લો હાઈટસ માધાપર ચોકડી પાસે, સ્‍વામી નારાયણ મંદીર પાછળ, મહાદેવ ચોક ખાતે રાખેલ છે. રાજકોટ ખાતે રાખેલ છે.

મનસુખભાઈ જોગી

રાજકોટઃ ખત્રી અગતરાઈવાળા (હાલ રાજકોટ) સ્‍વ.મનસુખભાઈ હિરજીભાઈ જોગી (ઉ.વ.૮૯) તે સ્‍વ.હેમીબેનના પતિ  તથા હસમુખભાઈ, ખુશાલભાઈ તથા સ્‍વ.પ્રજ્ઞાબેન, સ્‍વ.ઉષાબેન તથા સરોજબેન, મધુબેનના પિતાશ્રી તથા રમેશભાઈ, પરેશભાઈના કાકાનું તા.૨૬ને શનિવારના દિવસે શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તેમના નિવાસસ્‍થાને ગ્રામ્‍યલક્ષ્મી સોસાયટી શેરી નં.૩, બી, ડિવિઝન પોલીસ સ્‍ટેશનની આગળ રાજકોટ ખાતે તા.૨૮ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

સરોજબેન પંચોલી

રાજકોટઃ ઔદિચ્‍ય ગુજરાતી ૪૫૦ મુ. આટકોટ હાલ રાજકોટના સરોજબેન પંચોલી (ઉ.વ.૬૨) તે સુરેશભાઈના પત્‍નિશ્રી, દિવ્‍યેશભાઈ, કૃણાલભાઈ, દેવેનભાઈના માતુશ્રી અને છોટાલાલ ભટ્ટ નારણકાના દીકરીનું તા.૨૪ના અવસાન થયેલ છે . સદ્દગતનું બેસણું તા.૧/૧૨ ગુરૂવારે રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રમોદભાઇ સોનછાત્રા

રાજકોટઃ સ્‍વ.મોતીલાલ માધવજી સોનછાત્રાના પૌત્ર સ્‍વ.રમણીકભાઇના સુપુત્ર પ્રમોદભાઇ(ઉ.૬૨)નું તા.૨૮, સોમવારના રોજ અવસાન થયેલ છે.