Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021
બાબરાના ભાજપ અગ્રણી બીપીનભાઈ રાદડીયાના પિતાનું દુઃખદ અવસાન

બાબરાઃ યાર્ડના વાઈસ ચેરમેન અને શહેર ભાજપના મહામંત્રી બીપીનભાઈ રાદડીયાના પિતા સ્વ. જયંતીભાઈ દેવરાજભાઈ રાદડીયા (ઉ.વ. ૭૫)નું તા. ૨૧ને ગુરૂવારે સવારે અવસાન થયુ છે. સ્વ. જયંતીભાઈ પ્રખર વૈષ્ણવ ધર્મ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુબાપા પટેલ સાથે સારો નાતો ધરાવતા, અયોધ્યામાં રામમંદિરના નિર્માણ તેમજ દુષ્કાળ સમયે જયંતીબાપા બાબરા પંથકમા એમની મહત્વની સેવા હતી. અચાનક દુઃખદ અવસાનથી બાબરા અમરાપરા ગામ શોકગ્રસ્ત બની ગયુ હતું. રાજ્ય પૂર્વ કેબીનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડે સાંત્વના પાઠવી સ્મશાનયાત્રામાં બાબરા - અમરાપરાના લોકો તેમજ સ્થાનિક આગેવાનો-હોદેદારો-વેપારીઓ, વૈષ્ણવ સમાજ, પટેલ સમાજના અગ્રણીઓ તેમજ માર્કેટીંગ યાર્ડના ચેરમેન જીવાજીભાઈ રાઠોડ, જીલ્લા ભાજપના ઉપપ્રમુખ લલીતભાઈ આબલીયા, મહેશભાઈ ભાયાણી, મુકેશભાઈ ખોખરીયા, અલ્તાફભાઈ નથવાણી, મનોજભાઈ જોગી, અશોકભાઈ રાખોલીયા, બાદુરભાઈ બકોતરા, મનસુખભાઈ પલસાણા, સુરેશભાઈ ભાલાળા, અજયભાઈ પંડયા, પત્રકારો, માર્કેટયાર્ડના ડિરેકટરો, નાગરીક બેન્કના ડીરેકટર, વેપારી આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો  જોડાયા હતા અને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. બેસણુ તા. ૨૩ શનિવારે સવારે ૮ થી સાંજે ૬ કલાક સુધી અમરાપરા જૂના નિવાસ સ્થાને ટેલીફોનિક બેસણુ રાખેલ છે. બીપીનભાઈ મો. ૯૪૨૬૦ ૨૮૦૧૬, લાભુભાઈ ૯૪૨૬૨ ૨૭૧૭૬, રંજનીભાઈ મો. ૮૨૦૦૫ ૦૨૨૬૧

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડો.) ચેતનભાઇ ત્રિવેદીના માતુશ્રીનું દુઃખદ અવસાનઃ આવતીકાલે જુનાગઢ ખાતે પ્રાર્થના સભા

રાજકોટ : પ્રો. (ડો.) ચેતનભાઇ ત્રિવેદી (કુલપતિશ્રી, ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ)ના માતુશ્રી તથા ડો. ભૈરવીબેન ચેતનભાઇ (ચિલ્ડ્રન્સ યુનિ., ગાંધીનગર) ના સાસુ સ્વ. મંજુલાબેન નંદલાલભાઇ ત્રિવેદી (ઉ.૭૪) નો સ્વર્ગવાસ તા. ર૦-૧-ર૦ર૧, બુધવારના રોજ થયેલ છે. સ્વર્ગસ્થને શ્રધ્ધાંજલી અર્પવા  પ્રાર્થના સભા તા. ર૩-૧-ર૦ર૧, શનીવારના રોજ બપોરે ૪ થી ૬ કલાક દરમ્યાન 'માનસ બાગ' ગુણાતીત માર્બલ સામે, ગીરનાર દરવાજા રોડ, જુનાગઢ ખાતે સરકારશ્રીની કોવીડ ગાઇડલાઇન અનુસાર રાખેલ છે.

ચલો રે બુલાવા આયા હૈ... ફેઈમ ગાયક નરેન્દ્ર ચંચલનું દુઃખદ નિધન

(વિજય વસાણી દ્વારા) આટકોટઃ ચલો રે બુલાવા આયા હૈ, માતાને બુલાયા હૈ... ગીત ઘરે- ઘરે ગુંજતુ કરનાર માઈભકત અને ગાયક એવા નરેન્દ્રભાઈ ચંચલનું  દુઃખદ નિધન થયું છે. તેઓ કેટલાક સમયથી બિમાર હોય દિલ્હીથી એપલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેમના દુઃખદ નિધનથી ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

અવસાન નોંધ

ધીરજલાલ ચૌહાણ

રાજકોટઃ મચ્છુ કઠિયા સઈ સુથાર જ્ઞાતિના ધીરજલાલ ધનજીભાઈ ચૌહાણ તે સ્વ.ધનજી ગોવિંદના પુત્ર તે ચમનલાલ ધનજીભાઈના નાનાભાઈ તથા જેન્તીલાલના મોટાભાઈ તથા ચંદ્રકાંતભાઈ, કિશોરભાઈ (મેરાઈ), મહેશભાઈ, કુંદનબેન મનસુખલાલ ધામેચાના કાકા તે સ્વ.રંજનબેન, માલતીબેન અને હંસાબેનનાં ભાઈનું તા.૨૧ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા.૨૨ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. જેન્તીભાઈ મો.૯૭૧૪૬ ૨૦૨૦૩, કિશોરભાઈ (મેરાઈ) મો.૯૯૯૮૧ ૮૧૦૪૨, મહેશભાઈ (મેરાઈ) મો.૯૭૨૪૯ ૮૮૧૯૮

કેતનભાઈ ધરાદેવ

જૂનાગઢઃ સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ સ્વ. કેતનભાઈ હરસુખલાલ ધરાદેવ (ઉ.વ. ૫૦) તે સ્વ. હરસુખલાલ મગનલાલ ધરાદેવ (કાળુભાઈ શાસ્ત્રી)ના જયેષ્ઠ પુત્ર તથા સુરેશભાઈ મગનલાલ ધરાદેવના ભત્રીજા, તે વિજયભાઈ (આરટીઓવાળા), હિમાંશુભાઈના મોટાભાઈ, તે માલાબેનના પતિ, સ્વ. કાંતિભાઈ પ્રાણજીવન લેહરૂ(જામરાવળ વાળા)ના જમાઈ, તે પ્રણવ તથા ઝરણાબેનના પિતાશ્રી તથા કૃતિ, યશવી, વંશ, ધરમના મોટા બાપુજીનું તા. ૨૧ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. ઉઠમણુ તા. ૨૩ શનિવાર સાંજે ૪.૦૦ થી ૬.૦૦ નિવાસ સ્થાને તથા ટેલિફોનિક રાખેલ છે. એડ્રેસઃ પ્રતિક્ષા એપાર્ટમેન્ટ તળાવ દરવાજા, નાગેશ્વર ડેરીની બાજુમાં જૂનાગઢ. વિજયભાઈ ધરાદેવ મો. ૯૮૨૫૩ ૩૩૫૦૧, મો. ૯૯૭૮૭ ૦૫૫૫૦, હિમાંશુભાઈ ધરાદેવ મો. ૯૯૨૪૧ ૯૨૦૦૦   

છગનલાલ સોનછાત્રા

રાજકોટઃ અલિયાબાડા છગનલાલ હરિલાલ સોનછાત્રા (ઉ.વ.૮૩) તે જયેશભાઈ (બળુ), ભાવનાબેન, સોનલબેન તથા ઉષાબેનના પિતાશ્રી તથા કાંતિલાલ હરિલાલ સોનછાત્રાના મોટાભાઈશ્રી તથા ભાવેશભાઈ, મનોજભાઈ તથા પરેશભાઈના કાકાશ્રી તથા વિપુલભાઈ, હિરેનભાઈ તથા તેજશભાઈના અદાશ્રીનું તા.૨૧ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૩ને શનિવારના રોજ સાંજે ૪ થી ૫ કલાકે જૈન- ધર્મશાળા અલિયાબાડા મુકામે રાખેલ છે.

ગીતાબેન જોશી

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજખેડાવાડ બ્રાહ્મણ સ્વ.લક્ષ્મીશંકર વિશ્વનાથ જોશીના ધર્મપત્નિ ગં.સ્વ.ગીતાબેન લક્ષ્મીશંકર જોશી (ઉ.વ.૮૬)નું અવસાન તા.૧૯ના રોજ થયેલ છે. જેઓ ધરિત્રીબેન ચંદ્રકાંતભાઈ વિઠલાણી (જુનાગઢ), મયુરભાઈ લક્ષ્મીશંકર જોશી (રાજકોટ), જયોતિબેન ભૂદેવભાઈ દવે (બેંગ્લોર)ના માતુશ્રી તથા જીગર જોષી (અમેરિકા) અને નિરાલી વ્યાસ (દિલ્હી)ના દાદીમાની લૌકિક ક્રિયાઓ બંધ રાખેલ છે.

જયંતિલાલ ટોળીયા

રાજકોટઃ જયંતિલાલ વૃજલાલ ટોળીયા (ઉ.વ.૮૨) તે વૃજલાલ મુળજીભાઈ ટોળીયાના પુત્ર તે સ્વ.સતિષ વૃજલાલ ટોળીયાના નાનાભાઈ તે ગં.સ્વ.કુસુમબેનના પતિ તથા કિશોરભાઈ, મુકેશભાઈ, કિરીટભાઈ તથા પ્રીતિબેનના પિતાશ્રી, તે જીજ્ઞશેભાઈના કાકા તા.૨૧મીને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૨મી ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. પ્રાર્થનાસભા તા.૨૩મીને શનિવારે સવારે ૧૦ થી ૧૨ વિરાણી વાડી, રામનાથપરા, રાજકોટ ખાતે તથા મો.૯૮૨૫૦ ૭૫૨૨૯ ઉપર રાખેલ છે.

અશોકભાઈ બુદ્ધદેવ

રાજકોટઃ સ્વ. કેશવલાલ હરગોવિંદદાસ બુદ્ધદેવ મોરબીવાળાના સુપુત્ર અશોકભાઈ બુદ્ધદેવ તે પ્રવિણભાઈના મોટાભાઈ કરન (રવી) અને રૂપાબેન જયશિલકુમાર જીવરાજાનીના પિતાશ્રી તથા રણછોડ પ્રાગજી વાળા શિવલાલ ચોલેરાના જમાઈ તા. ૨૧ના શ્રીજીચરણ પામેલ છે. સદગતનું ટેલીફોનિક બેસણુ તથા સસરા પક્ષની સાદડી તા. ૨૩ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. કરન (રવી) મો. ૮૪૬૯૬ ૮૮૭૨૨, પ્રવિણભાઈ મો. ૭૭૫૦૯ ૪૬૩૩૨, જયશિલ મો. ૯૯૭૮૯ ૭૮૧૮૧, શૈલેષભાઈ મો. ૯૪૨૬૪ ૫૨૧૭૧, કમલેશભાઈ મો. ૯૪૦૮૯ ૫૨૧૫૪ છે.

મંજુલાબેન જાની

જસદણઃ ઔદીચ્ય ગુજરાતી સાડાચારસો બ્રાહ્મણ ગં.સ્વ. મંજુલાબેન ભૂપતરાય જાની (ઉ.૭૮, ધારી નિવાસી) તે પ્રફુલભાઇના ભાભી, જીતેન્દ્રભાઇ, કેતનભાઇના કાકી તથા અતુલકુમાર, ધર્મેન્દ્રભાઇ, અજયભાઇ, અલ્કાબહેન, ચેતનાબહેનના માતુશ્રીનો તા.રર મીએ શુક્રવારના રોજ જસદણ મુકામે દેહવિલય થયો છે. બેસણું તા.રપમીએ સોમવારે સાંજે ૪ થી ૬ આટકોટ રોડ, એસ.ટી.ડેપો નજીક, ગાયત્રી મંદિર જસદણ રાખેલ છે.

પ્રભુદાસ સરવૈયા

કોટડાપીઠાઃ પ્રભુદાસ નાથાલાલ સરવૈયા (ઉ.૭પ) તે જયાબેનના પતિ ત્થા સુનીલભાઇ (ભુજ) ત્થા કૈલેષભાઇ (ભુજ), પરેશભાઇ ત્થા અલ્કાબેનના પિતાશ્રી (નિવૃત શિક્ષક) નું તા.ર૧ ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.રપ ને સોમવારના રોજ તેમના નિવાસ સ્થાને ૩ થી પ રાખેલ છે.

ચંદુભાઈ જાદવ

રાજકોટઃ મુળ ગામ પાળ હાલ રાજકોટ વાણંદ ચંદુભાઈ રામજીભાઈ જાદવ (ઉ.વ.૬૨) તે નિર્મળાબેનનાં પતિ તથા દિપેશભાઈ, ધર્મેશભાઈ અને પૂનમબેનનાં પિતાશ્રી તથા પરેશકુમાર દસાડીયાનાં સસરા તથા સ્વ.લાલજીભાઈ ગોપાલજીભાઈ પાડલીયાનાં જમાઈ તા.૨૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું બન્ને પક્ષનું તા.૨૩ શનિવારનાં રોજ બપોરે ૩ થી ૬ ગુણેશ્વર મંદિર, શ્રીનગર- ૫ ખાતે રાખેલ છે. મો.૬૩૫૨૦ ૧૫૧૭૨, મો.૮૪૮૭૯ ૪૨૪૦૫

પ્રકાશભાઈ ફૂલવાળા

રાજકોટઃ  મૂળ જડેશ્વર કોઠારીયા હાલ રાજકોટ તળપદા કોળી  સ્વ. મનુભાઈ ભગવાનજીભાઈ કોબીયાના પુત્ર પ્રકાશભાઈ ફૂલવાળા (ઉ.વ. ૪૯) તે અશોકભાઈ, રમેશભાઈ, સુરેશભાઈના ભાઈ તે તૃપ્તિબેન તથા સ્વાતિબેનના પિતાશ્રીનું તા. ૨૦ને બુધવારે અવસાન થયું છે.  તેમનું ટેલિફોનિક બેસણું તા. ૨૨ને શુક્રવારે સાંજે ૪થી ૬ રાખ્યું છે.

અનિલભાઇ દવે

મોરબી :.. અનિલભાઇ હેમંતભાઇ દવે (ઉ.વ. ૭૩)  શ્રીનાથ ફોટોફ્રેમ (સગુણ ગીફટ) વાળા તે રાજેશભાઇ દવે તથા સગરભાઇ દવેના પિતાશ્રીનું તા. ર૧ ને ગુરૂવારે ના રોજ અવસાન થયેલ છે.

પ્રો.સત્યવ્રતભાઇ જોષી

જેતપુર : પ્રશ્નોરા નાગર પ્રો. સત્યવ્રતભાઇ ચિનુભાઇ જોષી (ઉ.વ.૭ર, વાંકાનેર) તે ઉષાબેનના પતિ, નિરવભાઇના પિતા, ડો. પ્રિયવ્રત (જેતપુર), રઘુવીરભાઇ (જામનગર), સ્વ. ડો.ઘનશ્યામભાઇ (જામનગર)ના ભાઇ તેમજ સ્વ. રોહિતભાઇ ચંદ્રકાંતભાઇ પંડયા (ભાવનગર)ના બનેવી, તેમજ અનિલભાઇ ભટ્ટ (અમદાવાદ)ના વેવાઇ તા.ર૦ના રોજ અવસાન પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.રપના સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.