અવસાન નોંધ
દિનુબાલા જીવાણી
રાજકોટઃ મુળ રાજકોટ નિવાસી ચંદ્રકાંતભાઈ રામચંદ્રભાઈ જીવાણીના ધર્મપત્નિ અ.સૌ.દિનુ બાલા ચંદ્રકાંતભાઈ જીવાણી તે ચેતનભાઈના માતુશ્રી તથા પ્રવિણભાઈ તથા સતીષભાઈના મોટાબેન તથા સ્વ.શ્યામભાઈ, સ્વ.જેઠુભાઈ, પરસોત્તમભાઈ, પ્રતાપભાઈ તથા પ્રદિપભાઈના ભાભીશ્રી તા.૨૦ના શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું સોમવાર તા.૨૩ના રોજ સાંજે ૪ થી ૬ વચ્ચે રાખેલ છે. ચંદ્રકાંતભાઈ જીવાણી મો.૮૪૬૯૫ ૭૩૧૧૬
સવિતાબેન મકવાણા
રાજકોટઃ કડિયા મુળ ગામ જાવણથલી હાલ રાજકોટ નિવાસી સવિતાબેન ભગવાનજીભાઈ મકવાણા તે અ.નિ.ભગવાનજીભાઈ વાલજીભાઈ મકવાણાના ધર્મપત્નિ ચંદ્રેશભાઈ તથા અશોકભાઈના માતુશ્રી, પ્રિન્સ તથા કિશનના દાદીમા તા.૨૦ને શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૩ને સોમવારે સાંજે ૪ થી ૬ નિવાસસ્થાને રાખેલ છે. ચંદ્રેશભાઈ મો.૯૭૧૪૪ ૩૪૬૨૬, અશોકભાઈ મો.૯૯૦૯૦ ૪૦૦૮૮
સુરેશભાઇ ફીચડીયા
રાજકોટ : સ્વ. સોની બાબુલાલ હીરાલાલ ફીચડીયા (કાગદડીવાળા) ના મોટા દીકરા સુરેશભાઇ બાબુલાલ ફીચડીયા કે જે ભરતભાઇ, રાજેશભાઇ (ભારતીય જનતા પાર્ટી) ના મોટાભાઇ તથા વિશાલ, ભાવીનના પિતાશ્રી અને વિનોદરાય નરસિંહદાસ આડેસરા અડાવવાળાના જમાઇ તા. ર૦ ના શ્રીજીચરણ પામેલ છે. જેનું ટેલિફોનીક બેસણું તા. ર૧ ને શનિવારે સાંજે પ થી ૭ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મનસુખભાઇ પરમાર
રાજકોટ : ગોંડલ નિવાસી (વાણંદ) હાલ અમદાવાદ મનસુખભાઇ રણછોડભાઇ પરમાર (ઉ.વ.૮૨) તે રમેશભાઇ પરમાર (મો.૯૪૨૭૧ ૬૭૫૬૮) ના પિતાશ્રી તા. ૧૬ ના સોમવારે શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા. ૨૩ ના સોમવારે સાંજે ૪ થી પ લક્ષ્મીનગર, ૨/૭ ખોડીયાર મંદિરમાં રાખેલ છે.
લાધીબેન જોષી
પોરબંદર : મોડપર (ગઢવાળુ), જગદીશ અબોટી બ્રાહ્મણ સ્વ. લાધીબેન વાલજીભાઇ જોષી (ઉ.વ.૬૬) તે વાલજીભાઇ રામજીભાઇ જોષીના ધર્મપત્ની તથા પ્રવિણભાઇ અને હરેશભાઇના માતુશ્રી તા. ર૦ ને શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે સદ્ગતનું બેસણું મોડપર નિવાસ સ્થાને રાખેલ છે.
કિશોરભાઇ પંડયા
ગોંડલ : કિશોરભાઇ નટવરલાલ પંડયા (નિવૃત પોસ્ટ કર્મચારી) તે ગૌરાંગભાઇ (કોર્ટ ગોંડલ)ના પિતા રાજેન્દ્રભાઇ (મુંબઇ) તથા પ્રદીપભાઇ (રાજકોટ)ના મોટાભાઇનું તા. ૧૯ ના અવસાન થયું છે ટેલિફોનિક બેસણું તા. ર૩ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.
લીલાવંતીબેન શાહ
રાજકોટઃ વાંકાનેર નિવાસી હાલ રાજકોટ સ્વ.શાન્તીલાલ મોતિચંદ શાહના ધર્મપત્નિ ગં.સ્વ.લીલાવંતીબેન તા.૨૦ના અવસાન પામેલ છે. સ્વ.બીપીનભાઈ (યુ.કે.), દિપકભાઈ અરૂણાબેન તથા સરોજબેનના માતુશ્રી કાલીદાસ મોતિચંદ ગાંધીના પુત્રી (દરેક પ્રકારના લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)